For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વેમાં પણ કેજરીવાલથી આગળ નીકળી ગયા કિરણ બેદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 જાન્યુઆરી: કિરણ બેદી દ્વારા ભાજપમાં જોડાતા ભલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં રસપ્રદ વળાંક આવી ગયો છે, તેની સાથે સાથે દિલ્હીવાસીઓને અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ તો છે પરંતુ તેમનો વિશ્વાસ કેજરીવાલ કરતા વધારે બેદી પર છે. આ અમારું કહેવું નથી પરંતુ સી-વોટરનું કહેવું છે જેમાંથી મોટાભાગના લોકોનું કહેવું છે કે તેઓ કિરણ બેદીને કેજરીવાલ કરતા વધારે દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે ઉમદા સમજે છે.

kiran
જોકે આ સર્વેમાં આમ આદમી પાર્ટી મજબૂત સ્થિતિમાં છે અને તેઓ આ ચૂંટણીમાં ભાજપને કાંટાની ટક્કર આપવાની છે પરંતુ જ્યાં સુધી કિરણ બેદી ભાજપમાં ન્હોતા ત્યાં સુધી તો મામલો 50-50નો હતો અને સર્વેમાં ભાજપ લોકોની પસંદ હતી પરંતુ મુખ્યમંત્રી તરીકે કેજરીવાલને લોકો વધારે મહત્વ આપી રહ્યા હતા, પરંતુ હવે કિરણ બેદીના આવવાથી મામલામાં થોડું પરિવર્તન આવી ગયું છે, જે કેજરીવાલ વિરુદ્ધ છે.

અત્રે નોંધનીય છે કે ગુરુવારે કિરણ બેદીએ ભાજપ જોઇન કરી લીધું છે. બની શકે છે કે ભાજપ કિરણ બેદીને મુખ્યમંત્રીના રૂપમાં પ્રોજેક્ટ કરે અને તેમને કેજરીવાલના વિરોધમાં દિલ્હી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડવા માટે ઊભા કરી દે.

English summary
The announcement of Kiran Bedi is an attempt to save Modi from the embarrassment of a loss in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X