સર્વેમાં પણ કેજરીવાલથી આગળ નીકળી ગયા કિરણ બેદી
નવી દિલ્હી, 18 જાન્યુઆરી: કિરણ બેદી દ્વારા ભાજપમાં જોડાતા ભલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં રસપ્રદ વળાંક આવી ગયો છે, તેની સાથે સાથે દિલ્હીવાસીઓને અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ તો છે પરંતુ તેમનો વિશ્વાસ કેજરીવાલ કરતા વધારે બેદી પર છે. આ અમારું કહેવું નથી પરંતુ સી-વોટરનું કહેવું છે જેમાંથી મોટાભાગના લોકોનું કહેવું છે કે તેઓ કિરણ બેદીને કેજરીવાલ કરતા વધારે દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે ઉમદા સમજે છે.

અત્રે નોંધનીય છે કે ગુરુવારે કિરણ બેદીએ ભાજપ જોઇન કરી લીધું છે. બની શકે છે કે ભાજપ કિરણ બેદીને મુખ્યમંત્રીના રૂપમાં પ્રોજેક્ટ કરે અને તેમને કેજરીવાલના વિરોધમાં દિલ્હી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડવા માટે ઊભા કરી દે.












Click it and Unblock the Notifications
