Iran Hit List : ઈરાને તેના ટોપ દુશ્મનોનું હિટ લિસ્ટ જારી કર્યુ, નેતન્યાહુ સહિત 11 નામો સામેલ
Iran Hit List : ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલે ઈરાનના દુશ્મનોની હિટ લિસ્ટ જારી કરી છે. આ લિસ્ટમાં ઈરાનના ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુનું નામ સૌથી ઉપર છે.

મિસાઈલ હુમલા બાદ ઇઝરાયેલે બદલો લેવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ઈરાને આ હિટ લિસ્ટ જારી કરી છે. આ લિસ્ટમાં ઇઝરાયેલી આતંકી શબ્દ વપરાયો છે.
હિઝબુલ્લાહ અને હમાસ સાથે સંઘર્ષ ઈરાનની આ કાર્યવાહી ઈઝરાયેલની સૈન્ય ગતિવિધિઓ સાથે સંબંધિત છે. ઇઝરાયલી સેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો.
ઈઝરાયેલે દાવો કર્યો હતો કે હિઝબુલ્લાના નેતા હસન નસરૂલ્લાહ અને હમાસના વડા ઈસ્માઈલ હાનિયા માર્યા ગયા છે. તેને હિટ લિસ્ટનો જવાબ ગણાવીને ઈરાને ઈઝરાયેલના નેતાઓને નિશાન બનાવવાની યોજના બનાવી છે.
ઈરાનના આ હિટ લિસ્ટમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ, રક્ષા મંત્રી યોવ ગાલાંટ અને આર્મી ચીફ હરજી હલેવી સહિત 11 અગ્રણી ઈઝરાયેલના મોટા નામ સામેલ છે. ઈરાને હિબ્રુ અને અંગ્રેજી બંને ભાષામાં આ લિસ્ટ જારી કર્યુ છે.
આ હિટ લિસ્ટ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવનું પરિણામ છે. ઈરાન દ્વારા 180 થી વધુ મિસાઈલો છોડવામાં આવ્યા બાદ ઈઝરાયેલે પોતાના દેશના ઘણા ભાગોમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. આ હિટ લિસ્ટ દ્વારા ઈરાને ઈઝરાયેલની સુરક્ષા સાથે જોડાયેલા મુખ્ય લોકોને ચેતવણી આપી છે કે તેમનો અંત નજીક છે.
ઈઝરાયેલે આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. નિષ્ણાતોનું માનવું છે કે ઈરાન દ્વારા લેવાયેલું આ પગલું પ્રાદેશિક સ્થિરતા વધુ ખરાબ કરી શકે છે. ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુએ ઈરાનને પહેલેથી જ ચેતવણી આપી હતી કે તેણે મોટી ભૂલ કરી છે અને ઇઝરાયેલ જવાબ આપશે.
ઈરાન દ્વારા જારી કરવામાં આવેલ આ હિટ લિસ્ટ ઈઝરાયેલ અને તેના નેતાઓ માટે સીધો ખતરો છે, જે ક્ષેત્રીય સંઘર્ષને વધુ ગંભીર બનાવી શકે છે. બંને દેશો વચ્ચેનો આ સંઘર્ષ ધીમે ધીમે એક વ્યાપક યુદ્ધ તરફ આગળ વધી રહ્યો છે, જે સમગ્ર મધ્ય પૂર્વની સ્થિરતા માટે જોખમી છે.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
