For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનુસૂચિત જાતિ આયોગે હરિયાણાને કહ્યું 'બળાત્કાર પ્રદેશ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 નવેમ્બર: રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે હરિયાણાની હુડ્ડા સરકારની મુશ્કેલીઓ વધારી દિધી છે. ભુવનેશ્વરમાં આયોગના અધ્યક્ષ પી.એલ. પુનિયાએ કોંગ્રેસ શાસિત હરિયાણાને બળાત્કારી પ્રદેશ ગણાવી હતી. તેમને કહ્યું હતું કે હરિયાણામાં દલિતો સાથે બળાત્કારના બનાવ ખૂબ જ વધી ગયા છે. આ ઉપરાંત તેમને ઓરિસ્સામાં દલિતો વિરૂદ્ધ વધતા જતા ગુનાઓ અંગે ચિંતા વ્યકત કરી હતી. ઉલ્લેખનીય છે કે ઓરિસ્સામાં જાતિસૂચક ટિપ્પણી કરવાના આરોપોમાં એક કેબિનેટ મંત્રી વિરૂદ્ધ આપરાધિક કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પુનિયાએ ભુનેશ્વરમાં પત્રકારોને કહ્યું હતું કે ઓરિસ્સામાં દલિતો વિરૂદ્ધ થતા ગુનાઓમાં ઉલ્લેખનીય વધારો થયો છે અને સજાનો દર ઘણો ઓછો છે. તેમને કહ્યું હતું કે હરિયાણામાં એક મહિનામાં 19 બળાત્કારના કેસ સામે આવ્યાં છે જ્યારે ઓરિસ્સામાં દલિતો વિરૂદ્ધ અપરાધમાં 18 ટકાનો વધારો થયો છે.

તેમને કહ્યું હતું કે ઓરિસ્સાના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દામોદર રાઉત વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમને કહ્યું હતું કે આ ગુનાઓ સાથે કોઇપણ વ્યક્તિ મંત્રીમંડળમાં હોવો ન જોઇએ. જો કે આ મુખ્યમંત્રીનો વિશેષ અધિકાર છે તેમના મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો.

English summary
The Congress government in Haryana seriously needs to do something to protect womenfolk in the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X