...તો શું 2014નો મુકાબલો મોદી V/S મનમોહન હશે?

એમ લાગે છે કે કોંગ્રેસ આગામી લોકસભાની ચુંટણીમાં પણ વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં જ ચુંટણી લડવાનું મન બનાવી લીધું છે. એવા સંકેત પાર્ટી મહાસચિવ અને મીડિય પ્રભારી જર્નાદન દ્રિવેદીએ આપ્યાં છે. જર્નાદન દ્રિવેદી કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વડાપ્રધાન વચ્ચે સંબંધ છે તે પહેલાં ક્યારેય જોવા મળ્યા નથી. કદાચ ભવિષ્ય માટે પણ આ જ આદર્શ મોડલ છે. જર્નાદન દ્રિવેદી કહ્યું હતું કે રાહુલ ગાંધી પહેલાં પણ કહી ચુક્યાં છે તેમની પ્રાથમિકતા પાર્ટી સંગઠન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચુંટણીની અટકળોને પ્રથમ ઝાટકો વડાપ્રધાન મનમોહન સિંહે પોતે આપ્યો હતો. થોડા દિવસો પહેલાં આફ્રિકાથી સ્વદેશ પરત ફરતી વખતે તેમને મિડીયા સાથે વાતચીત કરતાં સંકેત આપ્યા હતા કે આગામી વડાપ્રધાન પદ માટે ત્રીજી વાર તેમની તાજપોશી વાત આવશે તો તે વિચાર કરશે. તેમને ત્રીજી વાર વડાપ્રધાન બનવાથી મનાઇ કરી નથી.
જર્નાદન દ્રિવેદીના નિવેદન બાદ માનવામાં આવે છે કે પાર્ટી હવે આ લાઇન પર ચાલશે. જો કે રાહુલ ગાંધીના અંગત માનવામાં આવતાં મહાસચિવ દિગ્વિજય સિંહ પોતાના વલણ પર કાયમ રહ્યાં છે, તેમને જનાર્દન દ્રિવેદીના નિવેદનને પોતાનો અંગત અભિપ્રાય ગણાવ્યો છે.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...












Click it and Unblock the Notifications
