શું ખરેખર સ્વાઇન ફલૂ ખતરનાક મહામારી છે કે પછી તેની દવાના વેચાણ માટે ખોટો હાઉ ઊભો કરાયો છે?
સ્વાઇન ફ્લૂથી દરરોજ આપણા ગુજરાતમાં કોઇને કોઇ વ્યક્તિ મરી રહ્યું છે. સ્વાઇન ફ્લૂ મામલે ભારતભરમાં ગુજરાત પ્રથમ છે. દરરોજ મોટી સંખ્યામાં સ્વાઇન ફ્લૂના કેસો નોંધાય છે.
સ્વાઇન ફ્લૂથી દરરોજ આપણા ગુજરાતમાં કોઇને કોઇ વ્યક્તિ મરી રહ્યું છે. સ્વાઇન ફ્લૂ મામલે ભારતભરમાં ગુજરાત પ્રથમ છે. દરરોજ મોટી સંખ્યામાં સ્વાઇન ફ્લૂના કેસો નોંધાય છે. વધુમાં ગુજરાતભરમાં સ્વાઇન ફ્લૂનો મૃત્યુઆંક 900 ઉપર ગયો છે. વધુમાં ન્યૂઝમાં પણ રોજ રોજ આવા સમાચાર લોકોની ચિંતામાં વધારો કરે છે.

ત્યારે સવાલ એ છે કે શું ખરેખરમાં સ્વાઇન ફ્લૂ જેટલો બતાવામાં આવે છે તેટલો ખતરનાક છે? શું સ્વાઇન ફ્લૂ ખરેખરમાં એક ખતરનાક મહામારી છે? ભારતમાં અન્ય પણ અનેક બિમારીઓ છે જે મોટી સંખ્યામાં લોકોનો ભોગ લઇ રહી હોય. શું એઇડ્સ, ટીબી જેવી બિમારીને પણ સ્વાઇન ફ્લૂ જેટલું જ કવરેજ મળી રહ્યું છે?
સ્વાઇન ફ્લૂનો હાઉ પ્રતિદિન વધી રહ્યો છે. આપણે જ્યારે પણ ઘરની બહાર પગ મૂકીએ છીએ માસ્ક પહેરીને નીકળીએ છીએ. અને થોડાક તાવ આવે તો ડોક્ટરની કેબિન સુધી પહોંચી જઇએ છીએ. સજાગ રહેવું સારી વાત છે. પણ શું સજાગતા કરતા લોકમાં ડર વધી ગયો છે?
શું મિડિયા પણ સ્વાઇન ફ્લૂનું વધુ પડતું કવરેજ આપી રહ્યું છે? કારણ કે જે રીતે મિડિયામાં બતાવામાં આવી રહ્યું તે બધુ સાચું નથી
કેવી રીતે?
વારંવાર કહેવામાં આવી રહ્યું છે ભારતમાં સ્વાઇન ફ્લૂના કેસ 10,000 વધુ છે. મૃત્યુઆંક 1,800એ પહોંચ્યો છે. એ વાત સત્ય છે કે ધણાં લોકોનો સ્વાઇન ફ્લૂએ ભરડો લીધો છે. પણ તે વાત પણ એટલી જ સાચી છે કે ધણા લોકોને સ્વાઇન ફ્લૂ હતો પણ તે સાજા થઇ ગયા છે. ધણી વાર તો કોઇ પણ દવા વગર કે થોડી દવા પછી જ લોકો સાજા થયા હોય તેવી ખબરો આવે છે.
સાજા થયેલા લોકોના આંકડા ભાગ્યે જ આવે છે બહાર!
કોઇએ ભાગ્યે જ તે શોધવાનો કે જાણવાનો પ્રયત્ન પણ કર્યો છે કે આખરે કેટલા લોકો સ્વાઇન ફ્લૂથી સાજા થયા છે. રિપોર્ટ મુજબ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇજેશને 2009માં સ્વાઇન ફ્લૂને મહામારી જાહેર કરી હતી પણ ત્યારથી આજ દિન સુધી તેની પર અનેક રિસર્ચ થયા છે અને તે જોવા મળ્યું છે કે ખાલી 0.02 લોકો ખરેખર સ્વાઇન ફ્લૂના કારણે મર્યા હોય.
એ વાત તો સાચી છે કે ભારતમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા અને મૃત્યુઆંક વધુ છે. પણ તે સાથે એ વાત પણ એટલી જ સાચી છે ભારતમાં આ બિમારીનું નિદાન કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ અછત છે.
શું ખરેખર સ્વાઇન ફલૂ ખતરનાક મહામારી છે કે પછી તેની દવાનું વેચાણ વધારવા ખોટો હાઉ ઊભો કરાઇ રહ્યો છે? કેમ ટીબી, ડાયેરિયા, એનિમિયા જેવી બિમારી જે અનેક લોકોના પ્રાણ લઇ ચૂકી છે તેના વિષે કોઇ ખાસ કંઇ નથી બોલી રહ્યું? શું આ બિમારીઓની દવા સસ્તી છે અને તેને સરકારી રાહત મળે છે તે માટે આવું કરાય છે?
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા









Click it and Unblock the Notifications
