For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક.ની નાપાક પ્રવૃત્તિ : શીખોને આપી રહી છે આતંકી ટ્રેઇનિંગ!

|
Google Oneindia Gujarati News

sushil kumar shinde
નવી દિલ્હી, 6 જૂન: છત્તીસગઢમાં નક્સલિઓના હુમલા બાદ આંતરીક સુરક્ષા માટે બોલાવવામાં આવેલી સર્વદળીય મીટીંગમાં કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ પાકિસ્તાન પર આતંકીઓની ટ્રેનિંગ કેમ્પ ચલાવવાનો આરોપ છે. ગૃહમંત્રી શિંદેએ પાકિસ્તાન પર શીખ ઉગ્રવાદને ફરીથી જીવંત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આઇએસ આઇને હથિયાર બનાવીને શીખ યુવકોને આંતકી બનાવવા માટે તેમને ટ્રેનિંગ આપી રહ્યું છે.

ગૃહમંત્રીએ આરોપ લગાવતા કહ્યું કે પાકિસ્તાન શીખ આતંકવાદીઓની ફોજ તૈયાર કરી રહ્યું છે. તે આ આતંકવાદીઓને ભારતની સામે ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે. શિંદેએ પાકિસ્તાન પર ભારત વિરોધી પગલું ભરવાનો આરોપ લગાવતા કહ્યું કે પાકિસ્તાન શીખોને આતંકવાદી હુમલા માટે ટ્રેઇનિંગ આપી રહ્યું છે.

શિંદેએ આંતરિક સુરક્ષા પર મુખ્યમંત્રીઓની મીટિંગમાં સંબોધીત કરતા જણાવ્યું કે શીખ યુવકોને પાકિસ્તાનમાં આઇએસઆઇની ચોકીઓ આતંકીઓને ટ્રેઇનિંગ આપવાનું કામ કરી રહી છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન જેલમાં બંધ કૈડરો, બેરોજગાર યુવકો, અપરાધીઓ અને તસ્કરોનો ઉપયોગ આતંકી હુમલામાં મદદના રૂપે કરી શકે છે. આ શિલશિલામાં અમેરિકા અને યૂરોપમાં રહેતા શીખ યુવકોને પણ પ્રેરિત કરવમાં આવી રહ્યા છે.

ગૃહમંત્રી શિંદેએ કહ્યું કે આવી જાણકારી છે કે આરડીએક્સ સહિત મોટી માત્રામાં હથિયાર, ગોળા બારુદ અને વિસ્ફોટક સીમાઓ થકી પંજાબમાં પહોંચાડવામાં આવ્યો છે. શિંદેએ કહ્યું કે આતંકવાદી સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. શિંદેએ કહ્યું કે પાકિસ્તાન આ શીખોને ટ્રેનિંગ આપીને ભારતની સામે ઉપયોગ કરી રહી છે.

English summary
India on Wednesday blamed Pakistan for trying to revive Sikh militancy and said youth are being trained in ISI facilities to carry out terror attacks in the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X