રઘુરામ રાજનને 'ISIS583848'એ આપી જાનથી મારવાની ધમકી
મુંબઇ, 16 એપ્રિલ: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજનને એક શંકાસ્પદ મેઇલ મળ્યો છે, જેમાં તેમને જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે. મુંબઇ પોલીસ રઘુરામ રાજનને મળેલા આ મેઇલની તપાસ કરી રહી છે. જ્યારે સૂત્રોનું કહેવું છે કે મેઇલ સંબંધ આઇએસઆઇએસ સંગઠન સાથે જોડાયેલ હોઇ શકે છે.

અત્રે નોંધનીય છે કે આઇએસ પોતાની ક્રૂર આતંકવાદી ઘટનાઓને પગલે આખા દુનિયાભરમાં એક ખતરારૂપ બની ગયું છે. હવે જોવાની વાત એ છે કે શું આ મેઇલ ખરેખર આઇએસ તરફથી મોકલામાં આવ્યો છે કે કોઇ નકામા તત્વોની મજાક છે.
દુનિયાના સૌથી ખતરનાખ આતંકવાદી સંગઠન આઇએસઆઇએસે આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકરને જાનથી મારવાની ધમકી આપી હતી. આ ધમકી તેમને એ સમયે આપવામાં આવી હતી જ્યારે તેઓ મલેશિયામાં પોતાની એક શિબિરનું આયોજન કરી રહ્યા હતા. મલેશિયાના પેનાંગમાં હોટલ જેનના મેનેજરને એક પત્ર મળ્યો, જેમાં આઇએસઆઇએસે સ્પષ્ટ ચેતાવણી આપી હતી કે જો હોટલ શ્રી શ્રી રવિ શંકરને પોતાના ત્યાં રોકાવા દેશે તો તેનું પરિણામ ભોગવવું પડશે. તે જ કવરમાં એક પત્ર શ્રી શ્રીને જાનથી મારવાની ધમકી પણ લખવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
