J&K: જમ્મુના નરવાલમાં બે જગ્યાએ થયો બોમ્બ બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ
જમ્મુના નરવાલ વિસ્તારમાં શનિવારે બે જગ્યાએ રહસ્યમય બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં છ લોકો ઘાયલ થયા હતા.
જમ્મુ ફરી એકવાર આતંકવાદી હુમલાનો શિકાર બન્યું છે. જમ્મુના નરવાલ વિસ્તારમાં શનિવારે બે જગ્યાએ રહસ્યમય વિસ્ફોટ થયા હતા. નરવાલમાં બે બ્લાસ્ટમાં છ લોકો ઘાયલ થયા હતા. નરવાલને ટ્રકોનું હબ કહેવામાં આવે છે. નરવાલના ટ્રાન્સપોર્ટ નગરના યાર્ડ નંબર 7માં બ્લાસ્ટ થયો હતો. પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા જમ્મુમાંથી પસાર થઈ રહી છે.

જમ્મુ-કાશ્મીરના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ બંને વિસ્ફોટ જમ્મુના નરવાલ વિસ્તારમાં બે વાહનોમાં થયા હતા, જેમાં અત્યાર સુધીમાં છ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ એડીજીપી જમ્મુ મુકેશ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમણે વિસ્ફોટમાં ઘાયલ લોકોને પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. જે વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો ત્યાં પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અન્ય સ્થળોએ પોલીસે તકેદારી વધારી છે. વિસ્ફોટ કેવી રીતે થયો તેની પોલીસ તપાસ કરી રહી છે.
CRPF કમાન્ડન્ટ કમલ સિસોદિયાએ કહ્યું કે CRPF, આર્મી, J&K પોલીસ બધા અહીં છે અને વિસ્તારને સેનિટાઇઝ કરી રહ્યાં છે. અત્યારે આ અંગે કોઈ માહિતી આપવી બહુ ઉતાવળ છે. પહેલા અમે તપાસ કરી રહ્યા છીએ ત્યાર બાદ અમે કેટલીક અપડેટ આપી શકીશું.












Click it and Unblock the Notifications
