J&K: શ્રીનગરના ગુલાબ બાગ એરિયામમાં ઘણા આતંકીઓ છૂપાયાના સમાચાર, સર્ચ અભિયાન ચાલુ
રીનગરના બહારના વિસ્તાર ગુલાબ બાગમાં સુરક્ષાબળોનુ કાલ રાતથી સર્ચ અભિયાન ચાલુ છે.
શ્રીનગરઃ શ્રીનગરના બહારના વિસ્તાર ગુલાબ બાગમાં સુરક્ષાબળોનુ કાલ રાતથી જ સર્ચ અભિયાન ચાલુ છે. આખા વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. સુરક્ષાબળોને આ વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની શંકા છે. તમને જણાવી દઈએ કે સુરક્ષાબળોએ હાલમાં આતંકીઓનો સફાયો કરવાનુ ઑપરેશન ચલાવ્યુ છે. આ વિસ્તારમાં અમુક શંકાસ્પદ લોકો જોવા મળ્યા છે તેવી સૂચના મળી હતી ત્યારબાદ સુરક્ષાબળોનુ સર્ચ અભિયાન ચાલુ છે.

લશ્કર-એ-તૈયબાના ચાર આતંકી માર્યા હયા હતા
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ એનકાઉન્ટર પુલવામાના કાકાપોરા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં 3 આતંકી માર્યા ગયા હતા. આ એ આતંકી હતા જેમણે હાલમાં ભાજપ નેતા અનવર અહેમદના નૌગામ સ્થિત ઘરે હુમલો કર્યો હતો. માર્યા ગયેલા આતંકીઓમાં બે લશ્કર-એ-તૈયબા અને એક અલ બદ્ર સંગઠનનો હતો. લશ્કર-એ-તૈયબા અને અલ બદ્ર બંનેએ મળીને ભાજપ નેતાના ઘરે હુમલો કર્યો હતો. ગઈ 22 માર્ચે જમ્મુ કાશ્મીરના શોપિયાંના મુનિહાલ વિસ્તારમાં સુરક્ષાબળોએ અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જો કે આ અથડામણમાં સેનાનો એક જવાન પણ ઘાયલ થઈ ગયો હતો.
ઘાટીમાં ચાલી રહ્યુ છે પરેશન ઑલઆઉટ
તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોએ આતંકવાદીઓના ખાતમા માટે ઑપરેશન ઑલઆઉટ અભિયાન ચલાવ્યુ હતુ તે કારગર સાબિત થઈ રહ્યુ છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધી 200 ખૂંખાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. જ્યારે વર્ષ 2019માં સુરક્ષાબળોએ 157 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એપ્રિલ 2020માં સુરક્ષાબળોએ 28 આતંકવાદીઓ અને જુલાઈ અને ઓક્ટોબર મહિનામાં 21-21 આતંકવાદીઓને ઠાર મારવામાં સફળતા મેળવી હતી.












Click it and Unblock the Notifications
