જૈન ધર્મગુરુ બોલ્યા, 13 વર્ષની આરાધના જાણતી હતી તેની શક્તિઓ, માટે જ રાખ્યુ 68 દિવસનું વ્રત
સતત 68 દિવસ સુધી વ્રત રાખ્યા બાદ 13 વર્ષની આરાધનાના મોત પર જૈન ધર્મગુરુ ખુલીને કિશોરીના પરિવારના સમર્થનમાં ઉતરી આવ્યા છે. તેમણે કહ્યું કે આરાધનાએ તેની મરજીથી વ્રત કર્યુ હતુ અને ધર્મને બદનામ કરવામાં આવી રહ્યો છે. જૈન ધર્મ અનુસરતી હૈદરાબાદની આરાધનાનું સતત 68 દિવસ સુધી ઉપવાસ કર્યા બાદ 4 ઑક્ટોબરે મોત થઇ ગયુ. બે દિવસ પહેલા જ તેણે પોતાનો 68 દિવસ લાંબો ઉપવાસ પૂરો કર્યો હતો.

આરાધના 68 દિવસ સુધી માત્ર ઉકાળેલુ પાણી પીતી હતી. વ્રત પૂરા કર્યા બાદ તેની તબિયત લથડી હતી. તેને હોસ્પિટલ લઇ જવામાં આવી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી હતી. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર સતત વ્રત કરવાથી તેના શરીરના અંદરના ભાગોમાં ઘણી ફરિયાદો થઇ ગઇ હતી. તેની બંને કિડનીઓ બહુ જ ખરાબ રીતે બગડી ગઇ હતી અને ભોજન ન લેવાને કારણે તેના આંતરડા સૂકાઇ ગયા હતા.
આરાધનાના મોત બાદ ઘણા સંગઠનોએ 13 વર્ષની કિશોરીને 68 દિવસ સુધી ઉપવાસ કરાવવા પર સવાલ ઉઠાવ્યા હતા. અમુક સંગઠનોએ બાળકીના પરિવાર પર તેને મારી નાખવાનો આરોપ મૂક્યો હતો. પોલિસે એનજીઓની ફરિયાદ પર આઇપીસીની કલમ 304 અને કિશોર ન્યાય કાયદાની કલમ 75 હેઠળ એક કેસ ફાઇલ કરાવ્યો છે અને કેસની તપાસ ચાલી રહી છે.
પરિવાર પર પોતાના કારોબારની વૃદ્ધિ માટે કિશોરી પાસે 68 દિવસ સુધી જબરદસ્તી વ્રત કરાવવાના આરોપો, કેટલાય સંગઠનો દ્વારા કરાયેલી આકરી ટીપ્પણી અને પોલિસે કેસ ફાઇલ કર્યા બાદ જૈન ધર્મગુરુઓ અને પરિવારજનોએ આરાધના અંગે ઘણા ખુલાસા કર્યા છે.
આ પહેલા કરી ચૂકી છે 8 અને 34 દિવસનો ઉપવાસ
જૈન ધર્મના એક નેતાએ આરાધનાની મોત પર કહ્યું કે તેણે કોઇના દબાવમાં આ ઉપવાસ નથી કર્યા, તે તેની શારીરિક ક્ષમતાઓને સારી રીતે જાણતી હતી. તેમણે કહ્યું કે 2014 માં તેણે 8 દિવસ, 2015 માં 34 દિવસ અને આ વર્ષે 68 દિવસના ઉપવાસ કર્યા હતા.
જૈન સેવા સંઘના અધ્યક્ષ અશોક સાંકલેચા જૈને કહ્યું કે કિશોરી આરાધના સમદારિયાને પરિવારજનોએ ઉપવાસ કરવા માટે મજબૂર કરી નહોતી. આરાધનાના પિતા લક્ષ્મીચંદ સમદારિયાનુ કહેવુ છે કે 51 દિવસના ઉપવાસ બાદ પરિવારે તેને ઉપવાસ ખતમ કરવા કહ્યું હતુ પરંતુ તેણે મનાઇ કરી દીધી હતી.
વૉટ્સઍપ પર બતાવી રહ્યા છે આરાધનાના મોતનુ રહસ્ય
હૈદરાબાદમાં આરાધનાના મોત બાદ ટીકાઓનો સામના કરી રહેલ જૈન સમુદાયના લોકો આનાથી નારાજ છે. શહેરમાં એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે, જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે તેમના ધર્મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે આરાધનાનું મોત વ્રતના કારણે નહિ પરંતુ હ્રદયરોગના હુમલાને કારણે થયુ છે.
ઉલ્લેખનીય છે કે આરાધના જૈન પરંપરાના " ચતુર્માસ " ઉપવાસ હેઠળ 68 દિવસ સુધી ઉપવાસ પર રહી. આ દરમિયાન તે દિવસમાં માત્ર બે વાર ગરમ પાણી જ ગ્રહણ કરતી હતી. 3 ઑક્ટોબરે વ્રત પૂરા થવા પર ધૂમધામથી તેની યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં શહેરના ઘણા ગણમાન્ય લોકોએ હાજરી આપી હતી.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
