જલ્લીકટ્ટુ પ્રોટેસ્ટઃ મરિના બીચ પરથી પ્રદર્શનકર્તાઓને હટાવવા પોલીસે કર્યો લાઠીચાર્જ
પોલીસે જલ્લીકટ્ટુના પ્રદર્શનકર્તાઓને મરિના બીચ પરથી ખસેડવા લાઠીચાર્જ કર્યો, જેમાં ઘણા ઘાયલ પણ થયા. જેના વિરોધમાં પ્રદર્શનકારિઓએ મુરાઇની ટ્રેન રોકી.
તમિલનાડુમાં જલ્લીકટ્ટુ પરનો પ્રતિબંધ ખસ્યા બાદ પણ પ્રદર્શનકાર્તાઓ છેલ્લા એક અઠવાડિયાથી મરિના બીચ પર દેખાવો કરી રહ્યાં છે. પ્રદર્શનકર્તાઓની માંગ છે કે જલ્લીકટ્ટુ મામલે સ્થાયી સમાધાન મળે, આ માટે જ તેઓ હજુ પણ મરિના બીચ પર દેખાવો કરી રહ્યાં છે, પરંતુ સોમવારે પોલીસે પ્રદર્શનકર્તાઓને જબરદસ્તી ત્યાંથી ખસેડ્યા હતા અને જ્યારે તેઓ ન માન્યા તો પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

પ્રદર્શનકર્તાઓએ રોકી ટ્રેન
આ લાઠીચાર્જને કારણે ઘણા પ્રદર્શકર્તાઓ ઘાયલ થયા છે.પોલીસે મરિના બીચ સુધી જતા તમામ રસ્તાઓ પણ બંધ કરી દીધા છે. ચેન્નાઇની સાથે સાથે મદુરાઇ, કોયંબતૂર અને ત્રિચીથી પણ પ્રદર્શનકર્તાઓને હટાવવામાં આવ્યા છે, જે પછી મદુરાઇમાં પ્રદર્શનકર્તાઓએ ટ્રેન રોકી દીધી છે. લોકોએ પોલીસના રવૈયા પર સવાલ ઉઠાવ્યો છે.
પોલીસ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે કે સરકારના વટહુકમ બાદ હવે તેમણે આ પ્રદર્શન સમાપ્ત કરી દેવું જોઇએ. પોલીસ લોકોને તેમનું પ્રદર્શન પૂરું કરવાની અપીલ કરી રહી હોવા છતાં લોકો મરિના બીચ છોડવા તૈયાર નહોતા. આથી પોલીસે મજબૂરીમાં બળનો પ્રયોગ કરવો પડ્યો હતો.

શું છે જલ્લીકટ્ટુ?
ભડકેલા બળદને રોકવાની આ એક પરંપરાગત રમત છે, જેની પર છેલ્લા 3 વર્ષથી પ્રતિબંધ મુકાવામાં આવ્યો હતો. તમિલનાડુના પોંગલ તહેવાર પર જલ્લીકટ્ટુ મહોત્સવનું આયોજન થાય છે, આ એક રીતે બળદોની દોડ છે. જેમાં કોઇ લગામ વગર બળદો દોડે છે અને લોકો તેમને રોકવાનો પ્રયાસ કરતા હોય છે. જે આ ભડકેલા બળદને રોકવામાં સફળ થાય તે આ રમતમાં વિજયી જાહેર થાય છે.

બળદ પર કૂદીને ચડવાવાળા પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તે બળદની પીઠ કે ખૂંધ પર લટકીને દૂર સુધી જાય, આ દરમિયાન ઘણા લોકો ખરાબ રીતે ઘાયલ પણ થાય છે, તો ઘણાનું મૃત્યુ પણ થયું છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
