જમ્મુ કાશ્મીરઃ અનંતનાગમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને કર્યા ઠાર
ભારતીય સેનાએ એક વાર ફરીથી આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે.
અનંતનાગઃ ભારતીય સેનાએ એક વાર ફરીથી આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ સુધી કરી શકાઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ એનકાઉન્ટર અનંતનાગના કાંદીપોરા બિજબેહારા વિસ્તારમાં થયુ.

કાશ્મીરના પોલિસ મહાનિરીક્ષક વિજય કુમારે માહિતી આપીને જણાવ્યુ કે એનકાઉન્ટરમાં મરનાર આતંકીઓની સંખ્યા 2 છે. આ પહેલા એક આતંકીના મરવાના સમાચાર આવ્યા હતા. માહિતી મુજબ કાલે બુધવારે અથડામણ શરૂ થઈ અને ઑપરેશનના બીજા દિવસે એટલે કે આજે બે આતંકવાદી ઠાર મારી દેવામાં આવ્યા છે. સુરક્ષાબળોએ રાતે અથડામણને રોકી દીધી હતી અને ગુરુવારે સવારે ફરીથી શરૂ કરી દીધી હતી.
પોલિસ અને સેનાની એક સંયુક્ત ટીમે કાંદિપોરામાં એક ઘેરો અને તપાસ અભિયાન ચલાવ્યુ. સુરક્ષાબળોની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી એટલે તરત જ ત્યાં છૂપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ જેનો જડબાતોડ જવાબ આપીને સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને ઠાર મારી દીધા.
આ ઑપરેશન સંયુક્ત રીતે સુરક્ષાબળો અને સ્થાનિક પોલિસ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. એક દિવસ પહેલા દક્ષિણ કાશ્મીરના સોપોરમાં એક એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જે આતંકવાદીને ઠાર માર્યો હતો તેની ઓળખ આતંકી સંગઠન અલ બદરના પ્રમુખ ગની ખ્વાજા તરીકે થઈ.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
