For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરઃ અનંતનાગમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને કર્યા ઠાર

ભારતીય સેનાએ એક વાર ફરીથી આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

અનંતનાગઃ ભારતીય સેનાએ એક વાર ફરીથી આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ સુધી કરી શકાઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ એનકાઉન્ટર અનંતનાગના કાંદીપોરા બિજબેહારા વિસ્તારમાં થયુ.

pakistan

કાશ્મીરના પોલિસ મહાનિરીક્ષક વિજય કુમારે માહિતી આપીને જણાવ્યુ કે એનકાઉન્ટરમાં મરનાર આતંકીઓની સંખ્યા 2 છે. આ પહેલા એક આતંકીના મરવાના સમાચાર આવ્યા હતા. માહિતી મુજબ કાલે બુધવારે અથડામણ શરૂ થઈ અને ઑપરેશનના બીજા દિવસે એટલે કે આજે બે આતંકવાદી ઠાર મારી દેવામાં આવ્યા છે. સુરક્ષાબળોએ રાતે અથડામણને રોકી દીધી હતી અને ગુરુવારે સવારે ફરીથી શરૂ કરી દીધી હતી.

પોલિસ અને સેનાની એક સંયુક્ત ટીમે કાંદિપોરામાં એક ઘેરો અને તપાસ અભિયાન ચલાવ્યુ. સુરક્ષાબળોની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી એટલે તરત જ ત્યાં છૂપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ જેનો જડબાતોડ જવાબ આપીને સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને ઠાર મારી દીધા.

આ ઑપરેશન સંયુક્ત રીતે સુરક્ષાબળો અને સ્થાનિક પોલિસ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. એક દિવસ પહેલા દક્ષિણ કાશ્મીરના સોપોરમાં એક એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જે આતંકવાદીને ઠાર માર્યો હતો તેની ઓળખ આતંકી સંગઠન અલ બદરના પ્રમુખ ગની ખ્વાજા તરીકે થઈ.

મહાશિવરાત્રિ પર દેશના ઘણા રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાની સંભાવનામહાશિવરાત્રિ પર દેશના ઘણા રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાની સંભાવના

English summary
Jammu and Kashmir: 2 terrorists killed in an encounter in Anantnag.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X