જમ્મુ કાશ્મીરઃ પુલવામામાં સેના સાથે અથડામણમાં 3 આતંકી ઠાર, જવાન ઘાયલ
ભારતીય સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં ત્રણ આતંકવાદીઓના માર્યા ગયાના સમાચાર છે.
પુલવામાઃ જમ્મુ કાશ્મીરના પુલવામાના જદુરા વિસ્તારમાં ભારતીય સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં ત્રણ આતંકવાદીઓના માર્યા ગયાના સમાચાર છે. સેનાએ આખા વિસ્તારને ખાલી કરાવી દીધુ છે અને સર્ચ ઑપરેશન ચાલુ છે. વળી,એક જવાન ઘાયલ થવાના પણ સમાચાર છે. કાશ્મીર ઝોન પોલિસના જણાવ્યા મુજબ રાતે લગભગ 1 વાગ્યાથી પોલિસ અને સુરક્ષાબળોએ આતંકીઓને પકડવાનુ અભિયાન ચલાવી રાખ્યુ છે.
માહિતી મુજબ ભારતીય સુરક્ષાબળોને ખુફિયા માહિતી મળી હતી કે અમુક આતંકી પુલવામાના જદુરા વિસ્તારમાં છૂપાયા છે અને કોઈ આતંકી ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં છે. ખુફિયા માહિતીના આધારે સુરક્ષાબળોએ સ્થાનિક પોલિસ સાથે મળીને વિસ્તારમાં ઘેરાબંધી કરી. ઘેરબંધી દરમિયાન એક ઘરમાં અમુક આતંકી ગતિવિધિ દેખાઈ.
સુરક્ષાબળોએ જ્યારે આતંકીઓને હથિયાર નાખી બહાર આવવા કહ્યુ તો આતંકીઓએ ફાયરીંગ શરૂ કરી દીધુ. ત્યારબાદ ભારતીય સુરક્ષાબળોએ ફાયરીંગ કર્યુ. તમને જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે પણ કાશ્મીરમાં સુરક્ષાબળો સાથે અથડામણમાં 4 આતંકી માર્યા ગયા હતા અને એક આતંકીએ સરેન્ડર કર્યુ હતુ.
J&K: Three unidentified terrorists killed by Police & security forces in an encounter that started last night in Zadoora area of Pulwama. Search is going on. More details awaited. (Visuals deferred by unspecified time) pic.twitter.com/QBUQfM85Qn
— ANI (@ANI) August 29, 2020
COVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ