For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરઃ પુલવામામાં સેના સાથે અથડામણમાં 3 આતંકી ઠાર, જવાન ઘાયલ

ભારતીય સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં ત્રણ આતંકવાદીઓના માર્યા ગયાના સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

પુલવામાઃ જમ્મુ કાશ્મીરના પુલવામાના જદુરા વિસ્તારમાં ભારતીય સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં ત્રણ આતંકવાદીઓના માર્યા ગયાના સમાચાર છે. સેનાએ આખા વિસ્તારને ખાલી કરાવી દીધુ છે અને સર્ચ ઑપરેશન ચાલુ છે. વળી,એક જવાન ઘાયલ થવાના પણ સમાચાર છે. કાશ્મીર ઝોન પોલિસના જણાવ્યા મુજબ રાતે લગભગ 1 વાગ્યાથી પોલિસ અને સુરક્ષાબળોએ આતંકીઓને પકડવાનુ અભિયાન ચલાવી રાખ્યુ છે.

pulwama

માહિતી મુજબ ભારતીય સુરક્ષાબળોને ખુફિયા માહિતી મળી હતી કે અમુક આતંકી પુલવામાના જદુરા વિસ્તારમાં છૂપાયા છે અને કોઈ આતંકી ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં છે. ખુફિયા માહિતીના આધારે સુરક્ષાબળોએ સ્થાનિક પોલિસ સાથે મળીને વિસ્તારમાં ઘેરાબંધી કરી. ઘેરબંધી દરમિયાન એક ઘરમાં અમુક આતંકી ગતિવિધિ દેખાઈ.

સુરક્ષાબળોએ જ્યારે આતંકીઓને હથિયાર નાખી બહાર આવવા કહ્યુ તો આતંકીઓએ ફાયરીંગ શરૂ કરી દીધુ. ત્યારબાદ ભારતીય સુરક્ષાબળોએ ફાયરીંગ કર્યુ. તમને જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે પણ કાશ્મીરમાં સુરક્ષાબળો સાથે અથડામણમાં 4 આતંકી માર્યા ગયા હતા અને એક આતંકીએ સરેન્ડર કર્યુ હતુ.

COVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિCOVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ

English summary
Jammu and Kashmir: 3 terrorist killed in encounter started at Zadoora area of Pulwama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X