જમ્મુ કાશ્મીર: શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે મુઠભેડ, 2થી 3 આતંકીઓ હોવાની આશંકા
જમ્મુ કાશ્મીરથી શોપિયાંમાં ફરી એકવાર સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. શોપિયનના ઝાંપોરા વિસ્તારમાં સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેનાના જણાવ્યા અનુસાર 2 થી 3 આતંકવાદી
જમ્મુ કાશ્મીરથી શોપિયાંમાં ફરી એકવાર સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. શોપિયનના ઝાંપોરા વિસ્તારમાં સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેનાના જણાવ્યા અનુસાર 2 થી 3 આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોવાની સંભાવના છે. સેનાએ આ વિસ્તારમાં ઘેરો ઘાલ્યો છે. તે જ સમયે, આતંકીઓ દ્વારા સતત ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. સેના પણ જવાબી કાર્યવાહી કરી રહી છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા 10 દિવસમાં આ બીજી વખત છે જ્યારે શોપિયાંમાં આતંકવાદીઓ અને સૈન્ય વચ્ચે મુઠભેડ થઇ છે. આ અગાઉ 21 એપ્રિલના રોજ આતંકવાદીઓ અને ભારતીય સુરક્ષા દળો વચ્ચેની એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા તમામ આતંકીઓ અંસાર ગાજવત-ઉલ-હિંદ (એજીએચ) ના હોવાનું જણાવાયું છે. આતંકીઓ પાસેથી સુરક્ષા દળો પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
આ પણ વાંચો: પ્લાઝમાં થેરેપીથી લોકો ઠીક થશે એના સબુત નહી: સ્વાસ્થ્ય મંત્રાલય