જમ્મુ-કાશ્મીરઃ રાજૌરીમાં સરપંચના ઘર બહાર થયો વિસ્ફોટ, તપાસ શરૂ
જમ્મુ-કાશ્મીરઃ રાજૌરીમાં સરપંચના ઘર બહાર થયો વિસ્ફોટ, તપાસ શરૂ
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક સરપંચજના ઘર બહાર ગત રાત્રે વિસ્ફોટ થયો. પોલીસ મામલાની તપાસમાં લાગી છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ ઓછી તીવ્રતા વાળો હતો. જો કે હાલ કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલ સામે નથી આવ્યા. એસએસપી રાજૌદરીએ આ વાતની જાણકારી આપી છે. એસએસપી રાજૌરીએ કહ્યું કે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મામલાની તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વિસ્ફોટ મહિલા સરપંચના ઘર બહાર થયો છે. સરપંચે પોલીસને તેની સૂચના આપી હતી, જે બાદ ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘટના રાજૌરી જિલ્લાના અંદ્રેલા ગામની છે. અધિકારીઓ મુજબ આ રહસ્યમય વિસ્ફોટે ઘરની દિવાલ અને બાજુમાં ઉભેલી મોટરસાઈકલ પર નિશાન છોડ્યાં છે. જો કે આ ઘટનામાં કોઈ જાનમાલની નુકસાની નથી થઈ. ઘટનાની પુષ્ટિ કરતાં એસએસપી રાજૌરી, શીમા નબીએ જણાવ્યું, એવું લાગે છે કે અમુક ચીજો ઉડી ગઈ છે પરંતુ કોઈ ઘાયલ નથી થયું.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી









Click it and Unblock the Notifications
