કાશ્મીરમાં તહેનાત CRPF જવાનોની રજા પર રોક લાગી, RAFની ટીમ જમ્મુ પહોંચી
કાશ્મીરમાં તહેનાત CRPF જવાનોની રજા પર રોક લાગી, RAFની ટીમ જમ્મુ પહોંચી
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના હાલાતને ધ્યાનમાં રાખી અહીં તહેનાત તમામ સીઆરપીએફ જવાનોની રજા કેન્સલ થઈ શકે છે. ઈન્ડિયા ટુડેએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે જે કોઈપણ જવાન કાશ્મીરમાં તહેનાત છે તેમની રજા નહિ મળે અને બની શકે કે જા પર છે તેમને પાછા બોલાવી લેવામાં આવે. કાશ્મીરમાં હાલની સ્થિતિ બાદ ત્યાંના નાગરિકોમાં દહેશતનો માહોલ છે.

RAFની ટીમ જમ્મુ પહોંચી
શુક્રવારે સરકારે સુરક્ષા વ્યવસ્થાનો હવાલો આપતા તમામ અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને જલદીમાં જલદી ઘાટીથી ચાલ્યા જવા માટે કહ્યું છે. સીઆરપીએફનું કહેવું છે કે તેમણે કાશ્મીરમાં તહેનાત પોતાના જવાનોની રજા પર રોક લગાવી દીધી છે. આ વચ્ચે રેપિડ એક્શન ફોર્સની ટીમને જમ્મુ અને કાશ્મીરમાં તહેનાત કરી દેવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસન મુજબ સુરક્ષા વ્યવસ્થા અને આતંકી હુમલાના કારણે ઘાટીમાં વધુ સંખ્યામાં જવાનો તહેનાત કરવામાં આવી રહ્યા છે.
|
રજા પર ગયેલ જવાનોને પાછા બોલાવવામાં આવશે
સૂત્રો તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ જવાનો તરફથી આવેલ નવી રજાને મંજૂર કરવામાં નથી આવી રહી. પાછલા એક અઠવાડિયાથી ઘાટીમાં અવ્યવસ્થાની સ્થિતિ છે. સરકાર તરફથી 10,000 અતિરિક્ત જવાનોને તહેનાત કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. સરકારે એ સમયે કહ્યું હતું કે અમરનાથ યાત્રાને પગલે અતિરિક્ત જવાન તહેનાત થઈ રહ્યા છે. સાથે જ 15 ઓગસ્ટનો દિવસ પણ નજીક આવી રહ્યો છે અને એવામાં આતંકી હુમલાનો ખતરો વધી ગયો છે.

પાકિસ્તાન આતંકી હુમલાની ફિરાકમાં
શુક્રવારે ચિનાર કોરના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને મીડિયાને કાશ્મીરના હાલાતની જાણકારી આપી. લેફ્ટિનેન્ટ જનરલે જણાવ્યું કે પાકિસ્તાન આર્મીની લેન્ડમાઈન એક આતંકી પાસેથી મળી આવી છે. જેનાથી સ્પષ્ટ થાય ચે કે પાક આર્મી કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવામાં લાગી છે અને તે સહન કરવામાં બિલકુલ નહિ આવે. ઢિલ્લને આ વાત એક જોઈન્ટ પ્રેસ કોન્ફ્રેન્સમાં કહી જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહ અને સીઆરપીએફના આઈજી જુલ્લિફકાર હસન પણ હાજર હતા.

પાકિસ્તાનમાં બનેલ આઈઈડી જપ્ત
લેફ્ટિનેન્ટ જનરલ ઢિલ્લને આ વાત પર પણ ધ્યાન અપાવ્યું કે ઘાટીમાં આઈઈડીનો ખતરો અને આતંકી ગતિવિધઓ તેજીથી પાછલા એક વર્ષમાં વધી રહી છે. ઢિલ્લને કહ્યું કે સેના દરેક પ્રકારના આઈઈડીની તપાસ કરી રહી છે અને આઈઈડીમાં એક્સપર્ટ દરેક આતંકવાદીને પકડવામાં આવી રહ્યા છે. સેનાને અમરનાથ યાત્રાના રસ્તેથી પાકિસ્તાનની ઑર્ડિનેન્સ ફેક્ટ્રીમાં બનેલ લેન્ડમાઈન મળી અને સાથે જ M24 અમેરિકન સ્નાઈપર મળી આવી છે.












Click it and Unblock the Notifications
