જમ્મુ કાશ્મીરઃ નૌશેરામાં પાકિસ્તાને તોડ્યુ યુદ્ધવિરામ, ગોરખા રાઈફલ્સનો જવાન શહીદ
પાકિસ્તાને એક વાર ફરીથી જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર યુદ્ધવિરામ તોડ્યુ છે. પાકની ફાયરિંગમાં ગોરખા રાઈફલ્સનો એક જવાન શહીદ થઈ ગયો છે.
પાકિસ્તાને એક વાર ફરીથી જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર યુદ્ધવિરામ તોડ્યુ છે. પાકની ફાયરિંગમાં ગોરખા રાઈફલ્સનો એક જવાન શહીદ થઈ ગયો છે. ભારતીય સેના પાકની ફાયરિંગનો જોરદાર જવાબ આપી રહી છે. ગયા અઠવાડિયે નૌશેરીમાં પાકની ફાયરિંગમાં લાંસ નાયક સંદીપ થાપા શહીદ થઈ ગયા છે. નૌશેરા સેક્ટર રાજૌરીમાં આવે છે અને સેના તરફથી પાકને સતત જવાબ આપવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાન તરફથી 15 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર યુદ્ધવિરામ તોડવાનો સિલસિલો ચાલુ છે. આ પહેલા મંગળવારે પુંછની કૃષ્ણાઘાટીમાં પાક તરફથી સતત ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. મંગળાવારે થયેલા ફાયરિંગમાં નાયક રવિ રંજન કુમાર સિંહ શહીદ થઈ ગયા છે. ગયા એક અઠવાડિયાની અંદર પાકિસ્તાનની ફાયરિંગમાં સેનાના ત્રણ જવાન શહીદ થઈ ચૂક્યા છે.
Jammu & Kashmir: Ceasefire violation by Pakistan along the line of control (LoC) in the Naushera sector. In the firing, an Indian soldier from Gorkha Rifles has lost his life. Indian Army is retaliating. pic.twitter.com/loUvB8DA2a
— ANI (@ANI) 23 August 2019
આ પણ વાંચોઃ રાહુલ સામે વાયનાડથી ચૂંટણી લડનાર તુષારની UAEમાં ધરપકડ, 19 કરોડની છેતરપિંડીનો કેસ