જમ્મુ કાશ્મીરઃ ગાંદરબલમાં સેનાએ ઠાર માર્યા 3 આતંકી, ભારે માત્રામા દારૂગોળો જપ્ત
જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. આ આતંકીઓએ બટોટ-ડોડા રસ્તા પર સેનાના જવાનો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.
જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. આ આતંકીઓએ બટોટ-ડોડા રસ્તા પર સેનાના જવાનો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આતંકીઓએ હુમલા બાદ ભાગવાની કોશિશ કરી હતી પરંતુ સેનાએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી હતી. ગ્રેનેડ હુમલાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તમને જણાવી દઈએ કે પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવી ત્યારબાદથી રાજ્યમાં હાઈ એલર્ટની સ્થિતિ છે.
ભારે માત્રામાં દારૂગોળો જપ્ત
સુરક્ષા બળોએ માર્યા ગયેલા આતંકીઓ પાસેથી ભારે માત્રામાં દારૂગોળો અને ત્રણ એકે-47 જપ્ત કરી છે. શનિવારે સવારે પીઆરઓ ડિફેન્સ તરફથી જણાવવામાં આવ્યુ હતુ, આજે સવારે લગભગ 7.30 વાગે, બે શંકાસ્પદ લોકોએ બટોટમાં એક સિવિલિયન ગાડીને રોકવાની કોશિશ કરી. ડ્રાઈવરે ગાડી ના રોકી અને આર્મીની ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી)ને આની માહિતી આપી. ત્યારબાદ સેના અને શંકાસ્પદો વચ્ચે ફાયરિંગ થયુ. તેમણે જણાવ્યુ કે હાલમાં સર્ચ ઑપરેશન ચાલુ છે અને આતંકીઓ સામે ઑપરેશન ચલાવવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી મોદીને ધમકી આપનાર પાકિસ્તાની ગાયિકા હવે જશે જેલ