ઈદના દિવસે પણ પાકિસ્તાનની ફાયરિંગ ચાલુ, 1 જવાન શહીદ
આજે ઈદ છે અને આજે પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડતુ નથી. આજે પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવી. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં એક જવાન શહીદ થઈ ગયો.
આજે ઈદ છે અને આજે પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડતુ નથી. આજે પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવી. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં એક જવાન શહીદ થઈ ગયો. પાકિસ્તાન દ્વારા આ ફાયરિંગ જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં કરવામાં આવી. ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહેલી ફાયરિંગના કારણે આ વર્ષે બીએસએફ જવાનો અને પાકિસ્તાની રેંજર્સ વચ્ચે ઈદની મિઠાઈનું આદાનપ્રદાન કરવામાં આવ્યુ નથી. દર વર્ષે ભારત અને પાકિસ્તાન સેનાના જવાન અટારી-બાઘા બોર્ડર પર એકબીજાને મિઠાઈ આપે છે.
પાકિસ્તાનની ફાયરિંગમાં શનિવારે શહીદ થયેલા જવાનનું નામ બિકાસ ગુરુંગ છે. ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટે રમજાનના પવિત્ર મહિનામાં આતંકીઓ સામે ચલાવાતા સૈન્ય અભિયાનને રદ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે ત્યારબાદ પણ પાકિસ્તાન તરફથી ફાયરિંગ બંધ થયુ નહોતુ.
Jammu & Kashmir: Sepoy Bikas Gurung lost his life during ceasefire violation by Pakistan in Nowshera pic.twitter.com/gg3XwAaU9z
— ANI (@ANI) June 16, 2018