Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જમ્મુ કાશ્મીરઃ આતંકીઓએ સરપંચને ઘરની બહાર ગોળી મારતા થયુ મોત

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ સરપંચને ગોળી મારી દીધી છે.

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ સરપંચને ગોળી મારી દીધી છે. માહિતી અનુસાર આતંકીઓએ કુલગામ સ્થિત વેસુમાં સ્થાનિક સરપંચ સજ્જાદ અહમ ખાંડેને ગોળી મારી દીધી. આતંકીઓએ સરપંચને તેમના ઘરની બહાર ગોળી મારી દીધી છે. ઘટના બાદ સરપંચને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા જ્યાં તેમનુ મોત થઈ ગયુ. તમને જણાવી દઈએ કે આ પહેલા જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં ભાજપ નેતા વસીમ બારી, તેમના પિતા અને ભાઈને આતંકીઓએ ગોળી મારી દીધી હતી. ત્યારબાદ ત્રણેનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ.

terrorist

આ ઘટનાને આતંકીઓએ ત્યારે અંજામ આપ્યો જ્યારે ભાજપ નેતા પોતાના પિતા અને ભાઈ સાથે દુકાન પર હતા. તમને જણાવી દઈએ કે ભાજપ નેતાને 8 પોલિસકર્મી સુરક્ષા માટે મળ્યા છે તેમછતાં આતંકીઓએ નેતા અને તેના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધા. પોલિસે જણાવ્યુ કે આતંકી હુમલા સમયે નેતાની સુરક્ષામાં તૈનાત બધા 8 પોલિસકર્મી ગાયબ હતા. જો કે પોલિસે બધા 8 પોલિસકર્મીને સસ્પેન્ડ કરી દીધા હતા. કાશ્મીરના આઈજીએ જણાવ્યુ કે પરિવારને 8 સુરક્ષાકર્મી મળ્યા હતા પરંતુ ઘટના સમયે કોઈ પણ તેમની સાથે હાજર નહોતુ. ઘર અને દુકાન બંને સાથે જ છે. પીએસઓને પહેલા માળે બેસવાની મંજૂરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X