Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જમ્મુ કાશ્મીરમાં ચાલી રહ્યુ છે સેનાનુ ઑપરેશન, પુલવામામાં એક આતંકી ઠાર, અથડામણ ચાલુ

જમ્મુ કાશ્મીર રાજ્યના પુલવામામાં કાલે રાતથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

પુલવામાઃ જમ્મુ કાશ્મીર રાજ્યના પુલવામામાં કાલે રાતથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ કાશ્મીર તરફથી આજે જણાવવામાં આવ્યુ છે કે પુલવામાના રાજપુરા વિસ્તારમાં અથડામણ દરમિયાન સુરક્ષાબળોએ 1 આતંકવાદીને ઠાર માર્યો છે. પોલિસના જણાવ્યા મુજબ હજુ માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ થઈ શકી નથી. જો કે, તેના વિશે એ જાણવા મળ્યુ છે કે તે જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી હતો. કાશ્મીર ઝોનની પોલિસે એ પણ કહ્યુ કે હજુ ઑપરેશન ચાલુ છે.

રાજપુરા વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓની અથડામણ

રાજપુરા વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓની અથડામણ

જમ્મુ કાશ્મીર પોલિસના હવાલાથી ન્યૂઝ એજન્સીએ જણાવ્યુ કે જે 1 આતંકી ઠાર મરાયો છે તે અથડામણ પુલવામાના રાજપુરા વિસ્તારમાં થઈ. પોલિસે કહ્યુ કે તપાસ દરમિયાન ત્યાં છૂપાયેલા આતંકવાદીની હાજરી વિશે જાણવા મળ્યા અને તેને આત્મસમર્પણ કરવા માટે જરુરી મોકા આપવામાં આવ્યા. પરંતુ તે ફાયરિંગ કરવા લાગ્યો. ત્યારબાદ સુરક્ષાબળોએ પોતાની કાર્યવાહી કરી. કાશ્મીર ઝોન પોલિસે ટ્વિટર પર લખ્યુ, 'પુલવામા એનકાઉન્ટર અપડેટઃ 1 આતંકવાદી ઠાર મરાયો છે. ઑપરેશન હજુ પણ ચાલુ છે. આગળની માહિતી જલ્દી શેર કરવામાં આવશે.'

વિશેષ ઈનપુટ મળ્યા બાદ શરુ થયુ ઑપરેશન

વિશેષ ઈનપુટ મળ્યા બાદ શરુ થયુ ઑપરેશન

માહિતી મુજબ આતંકી હુમલા બાદ પુલવામાના રાજપુરા વિસ્તારમાં બુધવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ. સુરક્ષા બળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના અવંતીપોરાના બડાગામમાં વિશેષ ઈનપુટ મળ્યા બાદ ત્યાં ઘરે બનાવ્યો અને સર્ચ અભિયાન શરુ કર્યુ. કાશ્મીર ઝોન પોલિસે કહ્યુ કે થોડી વાર સુધીની કાર્યવાહીમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. ઑપરેશન હજુ પણ ચાલી રહ્યુ છે.

અડધી રાત પછી શરુ થઈ કાર્યવાહી

અડધી રાત પછી શરુ થઈ કાર્યવાહી

આ પહેલા રવિવારે પણ પુલવામામાં સુરક્ષાબળો સાથે અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી ઠાર મારવામાં આવ્યો હતો. તે એક સર્ચ અભિયાન દરમિયાન માર્યો ગયો હતો જેને સુરક્ષાબળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના અવંતીપોરાના બડગામ વિસ્તારમાં શરુ કર્યુ હતુ. પોલિસે ઘટના વિશે ટ્વિટ કર્યુ કે જમ્મુ કાશ્મીરના પુલવામામાં બુધવારે સવારે સુરક્ષાબળો સાથે અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. કહેવામાં આવ્યુ કે આ અથડામણ બુધવારે અડધી રાત બાદથી શરુ થઈ અને હજુ પણ ચાલુ છે. જમ્મુ કાશ્મીરના એક પોલિસ અધિકારીએ જણાવ્યુ કે રવિવારે પુલવામામાં જ સુરક્ષાબળો સાથે અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી ઠાર થઈ ગયો. ત્યારબાદ બુધવારે પણ પુલવામાના રાજપુરા વિસ્તારમાં એક અજ્ઞાત આતંકી ઠાર થયો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X