જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં સીઆરપીએફ ટીમ પર ગ્રેનેડ હુમલો
દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ ઘ્વારા સીઆરપીએફ ટીમ પર ગ્રેનેડ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બે જવાન ઘાયલ થવાની ખબર છે.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ ઘ્વારા સીઆરપીએફ ટીમ પર ગ્રેનેડ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બે જવાન ઘાયલ થવાની ખબર છે. આ હુમલો અનંતનાગના લાલ ચોક પાસે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચ પર થયો છે અને ટીમ અહીં હાજર હતી. હુમલા પછી આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ બંને તરફથી ગોળીબારી પણ કરવામાં આવી હતી. આ ઘટનામાં વધારે જાણકારી મળવાની રાહ જોવાઈ રહી છે.
આ હુમલા પહેલા જ શુક્રવારે બારામુલ્લા જિલ્લા હેઠળ આવનાર સોપોરમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સોપોરમાં જે જગ્યા પર આજે એન્કાઉન્ટર થયું છે જે જગ્યા રાજધાની શ્રીનગરથી 50 કિલોમીટર દૂર છે. આ ઓપરેશનને સેનાની 22 રાષ્ટ્રીય રાઇફલ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસની જોઈન્ટ ટીમે પાર પાડ્યું છે. આ પહેલા નોર્થ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાબળો ઘ્વારા બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
Two security personnel receive minor injuries in a grenade attack on CRPF party deployed at State Bank of India branch at Lal Chowk in Anantnag; Area cordoned off. (Visuals deferred by unspecified time) #JammuAndKashmir pic.twitter.com/QLy10m1l4w
— ANI (@ANI) August 3, 2018