જમ્મુ કાશ્મીરમાં જૈશના ત્રણ આતંકવાદી ઠાર, ઘાટીમાં સુરક્ષાબળોનુ અભિયાન યથાવત
જમ્મુ કાશ્મીરના પુલવામામાં શનિવારે(21 ઓગસ્ટ) સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં શનિવારે(21 ઓગસ્ટ) સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. જેમાં જમ્મુ કાશ્મીર પોલિસના અધિકારીઓએ આ એનકાઉન્ટરની પુષ્ટિ કરી છે. સુરક્ષાબળો પાસેથી મળેલી માહિતી મુજબ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ત્રણ આતંકી ઠાર મરાયા છે. જો કે હજુ સુધી તેમની ઓળખ થઈ શકી નથી. તમને જણાવી દઈએ કે સુરક્ષાબળોને આતંકવાદીઓ હોવાની સૂચના મળી હતી ત્યારબાદ તેમણે દક્ષિણ કાશ્મીરના નાગબેરાન ત્રાલ સ્થિત વન ક્ષેત્રમાં ઉંચાઈવાળા વિસ્તારમાં ઘેરાબંધી કરીને પોતાનુ સર્ચ અભિયાન ચાલુ કર્યુ.
અધિકારીઓના જણાવ્યા મુજબ આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ગોળીબાર કર્યો ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ અને હજુ પણ અથડામણ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે દેશમાં સ્વતંત્રતા દિવસ પૂર્ણ થઈ ગયા પછી પણ પાકિસ્તાનની હરકતો ચાલુ જ છે. 19 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ગુરુવારે આતંકવાદીઓ સાથે અથડામણના એક જૂનિયર કમીશન્ડ અધિકારી (જેસીઓ) શહીદ થઈ ગયા. પોલિસ અધિકારીએ જણાવ્યુ કે સુરક્ષા બળોને આતંકવાદીઓની હાજરીની સૂચના મળ્યા બાદ તેમણે સર્ચ અભિયાન શરૂ કર્યુ હતુ.