For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરમાં જૈશના ત્રણ આતંકવાદી ઠાર, ઘાટીમાં સુરક્ષાબળોનુ અભિયાન યથાવત

જમ્મુ કાશ્મીરના પુલવામામાં શનિવારે(21 ઓગસ્ટ) સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં શનિવારે(21 ઓગસ્ટ) સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. જેમાં જમ્મુ કાશ્મીર પોલિસના અધિકારીઓએ આ એનકાઉન્ટરની પુષ્ટિ કરી છે. સુરક્ષાબળો પાસેથી મળેલી માહિતી મુજબ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ત્રણ આતંકી ઠાર મરાયા છે. જો કે હજુ સુધી તેમની ઓળખ થઈ શકી નથી. તમને જણાવી દઈએ કે સુરક્ષાબળોને આતંકવાદીઓ હોવાની સૂચના મળી હતી ત્યારબાદ તેમણે દક્ષિણ કાશ્મીરના નાગબેરાન ત્રાલ સ્થિત વન ક્ષેત્રમાં ઉંચાઈવાળા વિસ્તારમાં ઘેરાબંધી કરીને પોતાનુ સર્ચ અભિયાન ચાલુ કર્યુ.

army

અધિકારીઓના જણાવ્યા મુજબ આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ગોળીબાર કર્યો ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ અને હજુ પણ અથડામણ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે દેશમાં સ્વતંત્રતા દિવસ પૂર્ણ થઈ ગયા પછી પણ પાકિસ્તાનની હરકતો ચાલુ જ છે. 19 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ગુરુવારે આતંકવાદીઓ સાથે અથડામણના એક જૂનિયર કમીશન્ડ અધિકારી (જેસીઓ) શહીદ થઈ ગયા. પોલિસ અધિકારીએ જણાવ્યુ કે સુરક્ષા બળોને આતંકવાદીઓની હાજરીની સૂચના મળ્યા બાદ તેમણે સર્ચ અભિયાન શરૂ કર્યુ હતુ.

English summary
Jammu Kashmir: Three Jaish militants killed in Pulwama, security forces search operation in the valley continues
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X