જમ્મુ કાશ્મીરમાં TRFના આતંકીને સુરક્ષાકર્મીઓએ માર્યો ઠાર
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં કાથોહલાનમાં સુરક્ષાકર્મીઓએ એક આતંકીને ઠાર માર્યો છે. મળતી માહિતી મુજબ, આતંકવાદી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સંગઠન સાથે સંકળાયેલો હતો, જેને ગુરુવારે એક એન્કાઉન્ટરમાં સુરક્ષા જવાનોએ માર્યો હતો.
કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદી પાસેથી હથિયારો, દારૂગોળો વગેરે મળી આવ્યા છે. એન્કાઉન્ટર બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

#ShopianEncounterUpdate: One (01) #terrorist affiliated with proscribed #terror outfit TRF neutralised. Incriminating materials including arms & ammunition recovered. Search going on. Further details shall follow.@JmuKmrPolice https://t.co/Eqq0TQi2wL
— Kashmir Zone Police (@KashmirPolice) November 8, 2023
અગાઉ, પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે શોપિયાં જિલ્લાના કાથોહાલન વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. આમાં પોલીસ અને સેનાના જવાનો સામેલ છે. વધુ માહિતી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.
અગાઉ થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર કર્યા હતા. આ મામલે ડીજીપી કાશ્મીરે કહ્યું હતું કે કુપવાડા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓ સહિત 5 આતંકીઓને ઠાર કર્યા હતા. સેનાએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો ત્યારે પાકિસ્તાની સેનાએ ગોળીબાર શરૂ કર્યો, જેનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. કુપવાડાના માછિલમાં નિયંત્રણ રેખા પર સુરક્ષા દળોના ઓપરેશનના કલાકો બાદ પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
