પુલવામામાં આતંકીઓ સાથે ચાલી રહેલી અથડામણમાં બે આતંકી ઠાર મરાયા
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષાકર્મીઓને વિસ્તારમાં અમુક આતંકીઓ છૂપાયા હોવાની સૂચના મળી હતી ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ વિસ્તારને ચારેબાજુથી ઘેરી લીધુ છે અને ઘટના સ્થળે આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે. સુરક્ષાકર્મીઓએ બે આતંકીવાદીઓને ઘટના સ્થળે જ ઠાર મારી દીધા છે. જો કે તેમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

આ તરફ અરનિયા સેક્ટરમાં એક વાર ફરીથી ડ્રોન દેખાયુ છે. બીએસએફના અધિકારીએ જણાવ્ય કે 13-14 જુલાઈની મધ્ય રાતમાં એક રેડ લાઈટ બ્લિંગ કરતુ ડ્રોન અરનિયા સેક્ટરમાં દેખાયુ. તેને જોતા જ એલર્ટ સુરક્ષાકર્મીઓએ તેના પર ફાયરિંગ કર્યુ. જેના કારણે તે પાછુ જતુ રહ્યુ. વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. હજુ સુધી કંઈ શંકાસ્પદ મળ્યુ નથી.












Click it and Unblock the Notifications
