રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાનો જયલલિતાનો નિર્ણય
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના ષડયંત્રમાં સાત દોષિઓને તમિલનાડુ સરકારે મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. જેમાં પેરારિવલન, મુરુગન, સંથનનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે ગઇકાલે જ આ ત્રણેયને ફાંસીની સજાને જનમટીપમાં ફેરવી હતી. બાકીના ચાર દોષીઓના નામ રોબર્ટ, રાજકુમાર, નલિનિ અને રવિચંદ્રન છે.
મંગળવારે સુપ્રીમ કોર્ટે ફાંસીમાં મોડું થવાને આધાર બનાવીને સંથન, મુરુગન અને પેરારિવલનની ફાંસીને ઉંમરકેદમાં ફેરવી નાખી હતી. કોર્ટના આ નિર્ણયને ધ્યાનમાં રાખતા તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાએ સાતેય દોષીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. જયા સરકારે જણાવ્યું કે કેન્દ્ર ત્રણ દિવસની અંદર આ અંગે નિર્ણય લઇ લેશે અને સાતેય દોષીઓને મુક્ત કરી દેવામાં આવશે.

આ સમાચારના સામે આવ્યા બાદ સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયે એકતરફી નિર્ણય પર વાંધો ઉઠાવ્યો, પરંતુ રાજ્ય સરકારે ત્યારબાદ કેન્દ્રને એક પત્ર પાઠવ્યો અને જણાવ્યું કે તેઓ આ નિર્ણય પર મંજૂરીની મોહર લગાવે. રાજ્ય સરકારે આના માટે કેન્દ્ર સરકારને 3 દિવસનો સમય આપ્યો છે.
મુક્ત કરવામાં આવનાર દોષીઓમાં મહિલા નલિની શ્રીહરનનો પણ સમાવેશ થાય છે, જે સુપ્રીમ કોર્ટથી રાહત મેળવનાર ત્રણમાંથી એક હત્યારા મુરુગનની પત્ની છે. નલિનીની ફાંસીની સજાને પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની દખલગીરીથી જનમટીપમાં પરિવર્તિત કરવામાં આવી ચૂકી હતી.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી






Click it and Unblock the Notifications
