ગડકરીએ ભાજપને બરબાદ કરી નાંખ્યું છેઃ જેઠમલાણી
આ નોટીસના જવાબ આપવા માટે જેઠમલાણીને દસ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. સંઘે પણ ભાજપને સંદેશ આપ્યો હતો કે હવે મોડું કર્યા વગર જેઠમલાણી મામલે નિવેડો લાવવો જોઇએ, જ્યારે જેઠમલાણીએ કહ્યું કે તેમને જરા પર ચિંતા નથીકે પાર્ટી શું નિર્ણય લેશે.
આમ તો જેઠમલાણી પાર્ટીના દરેક અનુશાસનને તોડતા રહ્યાં છે, પરંતુ ભાજપ માટે તે ત્યારે અસહ્ય થઇ ગયા જ્યારે તેમણે સીબીઆઇ નિદેશકની નિયુક્તિની પાર્ટીના બે ટોચના નેતાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પર પ્રશ્નો ખડા કર્યા. લોકસભા અને રાજ્યસભામાં નેતા સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીએ પ્રધાનમંત્રીને પત્ર લખીને તાજેતરમાં કરવામાં આવેલી નિદેશકની નિયુક્તિ રોકવાનો આગ્રહ કર્યો હતો. તેમનું કહેવું હતું કે આ નિયુક્તિ કોલેજિયમથી હોવી જોઇએ. જેઠમલાણીએ તેનો વિરોધ કર્યો અને સીબીઆઇ નિદેશક પદ પર રંજીદ સિન્હાની નિયુક્તિને યોગ્ય ઠેરવી હતી.
આ પહેલા પાર્ટી અધ્યક્ષ નિતિન ગડકરીના રાજીનામાની તેઓ માંગ કરી ચુક્યા છે. ત્યાર બાદ યશવંત સિન્હા અને શત્રુઘ્ન સિન્હા પણ ગડકરી વિરુદ્ધ મોરચો ખોલી ચૂક્યા છે, પરંતુ બેઠક પર તેમના અંગે કોઇ ચર્ચા ના થઇ. રવિવારે જેઠમલાણીને પાર્ટીના સભ્ય પરથી નિલંબિત કરી દેવામાં આવ્યા હતા. તેના પર મહોર લગાવવા માટે સોમવારે થયેલી સંસદીય બોર્ડની બેઠક પહેલા જ સંઘ અને ભાજપ વચ્ચે કડી બનેલા સુરેશ સોનીએ કેટલાક નેતાઓને ફોન કર્યા હતા. તેમણે પણ જેઠમલાણી વિરુદ્ધ કાર્યવાહીની વાત કરી હતી.