ઝારખંડ: ધનબાદમાં માલગાડી પાટા પરથી ઉતરી, કોઇ જાનહાની નહી, ઘણી ટ્રેનોના રૂટ બદલાશે
ઝારખંડમાં માલગાડી રેલ્વેના પાટા પરથી ઉતરી ગઇ છે. મળતી માહિતિ અનુસાર ઝારખંડના ધનબાદમાં માલગાડીના 53 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. માલગાડી પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો
ઝારખંડમાં માલગાડી રેલ્વેના પાટા પરથી ઉતરી ગઇ છે. મળતી માહિતિ અનુસાર ઝારખંડના ધનબાદમાં માલગાડીના 53 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. માલગાડી પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. ઘણી ટ્રેનો મોડી પડશે અને કેટલીક ટ્રેનનો રૂટ બદલવામાં આવ્યો છે.

પૂર્વ મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે સવારે 6:24 વાગ્યે ધનબાદ ડિવિઝનના ગુરપા સ્ટેશન અને કોડરમા સ્ટેશન વચ્ચે માનપુર રેલવે સેક્શન પાસે કોલસાથી ભરેલી 53 માલસામાન ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના લીધે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.
પ્રાથમિક તપાસ મુજબ ઘાટ વિભાગમાંથી પસાર થતી વખતે માલગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હતી, ત્યારબાદ ઢાળને કારણે ટ્રેનની ઝડપ વધી ગઈ હતી. ટ્રેન ડ્રાઈવર તેની સ્પીડ ધીમી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ગુરપા સ્ટેશને પહોંચતા સુધીમાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેનના 55 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જોકે, એન્જિન અને એક પાછળનો કોચ અને પાંચ પાછળની બોગી બચી ગઈ છે. ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.












Click it and Unblock the Notifications
