35 એ પર વિરોધ બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીઓ ટાળવામાં આવી શકે છેઃ સૂત્ર
રાજ્યની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને નેશનલ કોન્ફરન્સે કલમ 35એ અંગે પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદ સ્થાનિક ચૂંટણી સમયસર થવા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયુ છે.
જમ્મુ કાશ્મીરમાં યોજાનાર પંચાયત ચૂંટણી પર રાજકીય વાદળો ઘેરાવા લાગ્યા છે. રાજ્યની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને નેશનલ કોન્ફરન્સે કલમ 35એ અંગે પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદ સ્થાનિક ચૂંટણી સમયસર થવા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયુ છે. સમાચાર મુજબ આ ચૂંટણી જાન્યુઆરી સુધી ટાળવામાં આવી શકે છે.

મોટા પક્ષોએ કર્યો છે બહિષ્કાર
એનડીટીવીના સમાચાર મુજબ આ અંગે આજે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકની અધ્યક્ષતામા રાજ્ય સલાહકાર પરિષદ (એસસી) દ્વારા ઔપચારિક નિર્ણય લેવાની સંભાવના છે. રાજ્યના બે મોટા પક્ષો તરફથી ચૂંટણીના બહિષ્કાર કરવા પર કેન્દ્રની ભાજપ સરકાર પણ વિચારમાં પડી ગઈ છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારે મહેબૂબા મુફ્તીની તેમના ઘરે જઈને મુલાકાત કરી હતી. રાજ્યપાલે તેમને સમજાવવાની કોશિશ કરી હતી કે તે કોઈ પણ પ્રકારની ચૂંટણીનો બહિષ્કાર ના કરે.

મહેબૂબા મુફ્તીએ કર્યો છે વિરોધ
રાજ્યમાં શહેરી સ્થાનિક ચૂંટણી ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં થશે તેમજ પંચાયત ચૂંટણી ડિસેમ્બરમાં થવાની છે. પરંતુ 35એ અંગે રાજ્યમાં વિરોધ સતત ચાલુ છે. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સ્પષ્ટ કહ્યુ હતુ કે કલમ 35એ ના કારણે તેમનો પક્ષ રાજ્યની પંચાયત ચૂંટણીમાં ભાગ નહિ લે. મહેબૂબાએ સોમવારે શ્રીનગરમાં થયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ, ‘35એને બચાવવા માટે અમે કોઈ પણ સીમા સુધી જઈશુ.' મહેબૂબાએ કહ્યુ કે રાજ્યના લોકોએ ઘણુ બલિદાન આપ્યુ છે અને કોઈ પણ કલમ 35એ ની માન્યતા સાથે રમત નહિ રમી શકે.

ઓક્ટોબરમાં થવાની પંચાયત ચૂંટણી
આ પહેલા કલમ 35એ અને કલમ 370 પર ફારૂખ અબ્દુલ્લાએ ધમકી આપતા કહ્યુ હતુ કે સરકારે જો કલમ 35એ અને કલમ 370 પર પોતાનું વલણ સ્પષ્ટ ન કર્યુ તો તેઓ પંચાયતની સાથે સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓનો પણ બહિષ્કાર કરશે. વળી, સરકારની કોશિશ છે કે આ ચૂંટણી કોઈ પણ પરિસ્થિતિમાં થાય. તેમણે વિરોધ કરનારા પક્ષોને કહ્યુ છે કે તેઓ પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
