JNU Violence: માનવ સંસાધન મંત્રાલયે રજિસ્ટ્રાર, પ્રૉક્ટર, ગૃહપતિને સમન મોકલ્યું
JNU Violence: માનવ સંસાધન મંતરાલયે રજિસ્ટ્રાર, પ્રૉક્ટર, ગૃહપતિને સમન મોકલ્યું
નવી દિલ્હીઃ રવિવારે સાંજે જેવી રીતે નકાબધારી ગુંડાઓએ જેએનયૂના કેમ્પસમાં ૂસીને મારપીટ અને તોડફોડ કરી તે બાદ માનવ સંસાધન મંત્રાલયના સચિવે યૂનિવર્સિટી કેક રજિસ્ટ્રાર, પ્રૉક્ટર અને ગૃહપતિને સમન મોલ્યું છે. આ તમામ અધિકારીઓને આજે એમએચઆરડીએ સમન મોકલ્યું છે. જણાવી દઈએ કે કેમ્પસમાં થયેલ મારપીટ બાદ કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું અને દિલ્હી પોલીસ વિરુદ્ધ ભારે નારેબાજી કરી. મારપીટને જોાં ભારે પોલીસબળને કેમ્પસમાં તહેનાત કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહિ પોલીસે કેમ્પસના માહોલને જોતા કેમ્પસમાં ફ્લેગ માર્ચ કરી, પરંતુ તેનો વિદ્યાર્થીઓએ ભારે વિરોધ કર્યો.

જેએનયૂ કેમ્પસમાં થયેલ મારપીટ બાદ ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશઅનર અમૂલ્ય પટનાયક સાથે વાત કરી અને હાલાતના રિપોર્ટ મેળવ્યા. સાથે જ સમગ્ર ઘટનાનો રિપોર્ટ આપવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે આ હિંસાની વરિષ્ઠ અધિકારીઓથી તપાસ કરાવવામાં આવે અને જલદી જ રિપોર્ટ રજૂ કરવામાં આવે. જે કોઈપણ જરૂરી પગલાં હોય તે ઉઠાવવામાં આવે. માનવ સંસાધન મંત્રાલયે પણ તત્કાળ જેએનયૂ પ્રશાસન પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કેમ્પસમાં હિંસાની તપાસની જવાબદારી જોઈન્ટ સીપી શાલિન સિંહને સોંપવામાં આવી છે. બીજી તરફ કેમ્પસની સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે માર્ચ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાલ કેમ્પસની સ્થિતિ કાબૂમાં છે.
જ્યારે કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે હિંસાને લઈ જેએયૂ પ્રશાસન પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે જેએનયૂમાં થયેલ હિંસાની નિંદા કરી છે અને વિદ્યાર્થીઓને કેમ્પસમાં શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરી છે. તેમણે ટ્વીટ કર્યું, જેએનયૂમાં થયેલ હિંસા અત્યંત ચિંતાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. હું પરિસરની અંદર થયેલ હિંસાની નિંદા કરું છું. હું તમામ વિદ્યાર્થીઓને વિશ્વવિદ્યાલયની ગરીમા અને પરિસરમાં શાંતિ બનાવી રાખવાની અપીલ કરું છું.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
