JNU Violence: માનવ સંસાધન મંત્રાલયે રજિસ્ટ્રાર, પ્રૉક્ટર, ગૃહપતિને સમન મોકલ્યું
JNU Violence: માનવ સંસાધન મંતરાલયે રજિસ્ટ્રાર, પ્રૉક્ટર, ગૃહપતિને સમન મોકલ્યું
નવી દિલ્હીઃ રવિવારે સાંજે જેવી રીતે નકાબધારી ગુંડાઓએ જેએનયૂના કેમ્પસમાં ૂસીને મારપીટ અને તોડફોડ કરી તે બાદ માનવ સંસાધન મંત્રાલયના સચિવે યૂનિવર્સિટી કેક રજિસ્ટ્રાર, પ્રૉક્ટર અને ગૃહપતિને સમન મોલ્યું છે. આ તમામ અધિકારીઓને આજે એમએચઆરડીએ સમન મોકલ્યું છે. જણાવી દઈએ કે કેમ્પસમાં થયેલ મારપીટ બાદ કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું અને દિલ્હી પોલીસ વિરુદ્ધ ભારે નારેબાજી કરી. મારપીટને જોાં ભારે પોલીસબળને કેમ્પસમાં તહેનાત કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહિ પોલીસે કેમ્પસના માહોલને જોતા કેમ્પસમાં ફ્લેગ માર્ચ કરી, પરંતુ તેનો વિદ્યાર્થીઓએ ભારે વિરોધ કર્યો.

જેએનયૂ કેમ્પસમાં થયેલ મારપીટ બાદ ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશઅનર અમૂલ્ય પટનાયક સાથે વાત કરી અને હાલાતના રિપોર્ટ મેળવ્યા. સાથે જ સમગ્ર ઘટનાનો રિપોર્ટ આપવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે આ હિંસાની વરિષ્ઠ અધિકારીઓથી તપાસ કરાવવામાં આવે અને જલદી જ રિપોર્ટ રજૂ કરવામાં આવે. જે કોઈપણ જરૂરી પગલાં હોય તે ઉઠાવવામાં આવે. માનવ સંસાધન મંત્રાલયે પણ તત્કાળ જેએનયૂ પ્રશાસન પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કેમ્પસમાં હિંસાની તપાસની જવાબદારી જોઈન્ટ સીપી શાલિન સિંહને સોંપવામાં આવી છે. બીજી તરફ કેમ્પસની સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે માર્ચ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાલ કેમ્પસની સ્થિતિ કાબૂમાં છે.
જ્યારે કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે હિંસાને લઈ જેએયૂ પ્રશાસન પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે જેએનયૂમાં થયેલ હિંસાની નિંદા કરી છે અને વિદ્યાર્થીઓને કેમ્પસમાં શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરી છે. તેમણે ટ્વીટ કર્યું, જેએનયૂમાં થયેલ હિંસા અત્યંત ચિંતાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. હું પરિસરની અંદર થયેલ હિંસાની નિંદા કરું છું. હું તમામ વિદ્યાર્થીઓને વિશ્વવિદ્યાલયની ગરીમા અને પરિસરમાં શાંતિ બનાવી રાખવાની અપીલ કરું છું.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત






Click it and Unblock the Notifications
