પત્રકાર ગૌરી લંકેશની હત્યા પછી સડકો પર ઉતર્યા લોકો

બેંગલુરુમાં જાણીતી પત્રકાર ગૌરી લંકેશની તેમના ઘરની બહાર જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. માનવામાં આવે છે કે આ હત્યા પાછળ કટ્ટર હિંદુવાદી સંગઠનો જવાબદાર છે. વધુ જાણો

કટ્ટર હિંદુવાદી સંગઠનો વિરુદ્ધ એક મજબૂત અવાજ બનનારી પત્રકાર ગૌરી લંકેશની મંગળવારે તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે પછી લોકો દ્વારા આ ઘટનાને વખોડવામાં આવી છે. તમામ રાજનીતિ, સમાજિક વર્ગથી જોડાયેલા લોકોએ તેની તીખી આલોચના કરી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે કોઇ અજાણ્યા વ્યક્તિએ ગૌરી લંકેશના ઘરની બહાર મોટરબાઇક પર આવી તેમની ગોળી ચલાવી તેમની હત્યા કરી દીધી હતી. અજાણ્યા ગુંડાઓએ ગૌરી પર ગોળીઓના સાત રાઉન્ડ ચલાવ્યા હતા. જેના કારણે તેમને છાતી, ગળા અને માથામાં ગોળી લાગી હતી. નોંધનીય છે કે ગૌરી લંકેશ કન્નડા છાપાની પત્રિકા સંપાદક હતી.

Gauri Lankesh

ઉલ્લેખનીય છે કે ગૌરી હંમેશાથી જ કટ્ટર હિંદુ સંગઠનો વિરુદ્ધ લખતી આવી છે. અને તેમણે નક્સલવાદ અંગે પણ ધણું લખ્યું છે. તેવું કહેવામાં આવતું હતું કે તે નક્સલવાદને લઇને ખાસ સાહનુભૂતિ ધરાવતા હતા. ગૌરી લંકેશ પત્રિકા નામની સાપ્તાહિક મેગેઝિનમાં લેખિકા હતી. નોંધનીય છે કે આ હત્યા પછી પોલીસ સામે સીસીટીવી ફૂટેજ પણ આવ્યું છે. ત્યારે હાલ તો પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. જો કે બીજી તરફ ગૌરી લંકેશની હત્યા પછી કટ્ટર હિંદુવાદી સંગઠનોનું આ કાવતરામાં નામ હોવાનું બહાર આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X