For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પઠાણકોટ એરબેઝ નજીક હજુ છૂપાયા છે આતંકીઓ?

By Desk
|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ટેક્સ ડિફોલ્ટરોની ધરપકડ નહીં થાયઃ સરકાર

ટેક્સ ડિફોલ્ટરોની ધરપકડ નહીં થાયઃ સરકાર

વિલફુલ ડિફોલ્ટરોને આવકવેરા વિભાગ દબેચી લેશે તેવા અહેવાલ વહેતા થયા હતા. સરકારે મીડિયાના આ રિપોર્ટ્સને ખોટા ગણાવ્યા હતા. નાણામંત્રાલયે જણાવ્યું કે આવકવેરા વિભાગે એવું કોઇ જ નિવેદન નથી આપ્યું. જો કે કર અધિકારીઓ દ્વારા કાયદાનું પાલન ન કરનાર ડિફોલ્ટરોની ધરપકડ કરવાની જોગવાઇ આવકવેરા કાયદામાં છે.

પઠાણકોટ એરબેઝ નજીક હજુ છૂપાયા છે આતંકીઓ?

પઠાણકોટ એરબેઝ નજીક હજુ છૂપાયા છે આતંકીઓ?

પઠાણકોટ મામલે સુરક્ષા ટીમે મોટો ખુલાસો કર્યો છે. જે મુજબ પઠાણકોટ નજીકના ગામમાં હજુ આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળી રહી છે. ગૃહ વિભાગની સંસદીય સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

રેલવે સબસિડી છોડવા માટે પણ અભિયાન ચલાવાશે

રેલવે સબસિડી છોડવા માટે પણ અભિયાન ચલાવાશે

રેલવે વિભાગને મુસાફરોને આપવામાં આવતી સબસિડી અને અસલી પડતર કિંમતનો પ્રચાર કરવા મોદી સરકારે આદેશ કર્યો. જેનો ઉદ્દેશ્ય લોકોને એ જણઆવવાનો છે કે રેલવેએ લોકોનો કેટલો વધારે ભાર ઉપાડવો પડે છે. એલપીજી સિલિન્ડરની સબસિડી છોડાવવા જેવું અભિયાન ચલાવાયું હતું તેવું જ અભિયાન રેલવે સબસિડી છોડાવવા માટે પણ કરાશ.

આતંકી ટ્રેનિંગ માટે પાક. ગયા હતા, કરવી છે ઘર વાપસી

આતંકી ટ્રેનિંગ માટે પાક. ગયા હતા, કરવી છે ઘર વાપસી

4587 જેટલા કાશ્મીરી યુવકો આતંકી ટ્રેનિંગ માટે એલઓસી ઓળંગી પાક અધિકૃત કાશ્મીરમાં ગયા હતા. હવે આ યુવકો પાછા ફરવા માગતા હોવાનું ગૃહ વિભાગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે. જેમાં વધુમાં જણાવાયું કે 474 યુવકો 2014ના ડિસેમ્બર માસમાં પરત ફર્યા હતા.

મિશન 2017 માટે ભાજપ તૈયાર

મિશન 2017 માટે ભાજપ તૈયાર

ગુજરાતમાં આગામી ડિસેમ્બર 2017માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. જેને ધ્યાનમાં રાખીને શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરેક પ્રદેશમાં કારોબારી બેઠકો યોજવાની પરંપરાના ભાગરૂપે આવતીકાલ બુધવારથી બે દિવસ માટે મહેસાણામાં બેઠક યોજાઇ રહી છે.

દલિત યુવાનની હત્યાના મામલે ટોળાનો ખાંભામાં ચક્કાજામ

દલિત યુવાનની હત્યાના મામલે ટોળાનો ખાંભામાં ચક્કાજામ

સૌરાષ્ટ્રના અમરેલીના ખાંભામાં દલિત યુવકની હત્યાના મામલે ટોળાએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. ખાંભાના નિંગળાના દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી. આ મામલે દલિતના લોકો આરોપીને પકડવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેના લીધે રાજકમલ ચોક રસ્તા પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. આ લોકોને સમજાવા માટે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

ગોંડલ તાલકા પંચાયતમાં મારામારી બાદ રાજય સરકારે સંભાળી ધૂરા

ગોંડલ તાલકા પંચાયતમાં મારામારી બાદ રાજય સરકારે સંભાળી ધૂરા

ગોંડલ પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે તાલુકા પંચાયતમાં મારામારીના વરવા દ્રશ્યો સર્જાયા બાદ તેમને શાસનથી હટાવીને હવે રાજય સરકારે સૂકાન સંભાળી લીધું છે. 22 બેઠકો ધરાવતી ગોંડલ તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસના સમકક્ષ સભ્યો ચૂંટાઈને આવતા પહેલાથી જ વિવાદો શરૂ થઈ ગયા હતા અને ત્યાર બાદ ચિઠ્ઠીઓના આધારે પંચાયતની ભાગડોળ કોંગ્રેસના હાથમાં આવી ગઈ હતી, પરંતુ સત્તાધારી પક્ષ કોંગ્રેસ બજેટ મંજૂર ન કરાવી શકતા અને રાજકીય દાવપેચ બાદ લઘુમતીમાં આવી જતા ત્રીજી બજેટ બેઠક બોલાવવા વિકાસ કમિશ્નર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. જોકે ત્રણ વાર બજેટ નામંજૂર કરવામાં આવતા અને અધિકારીઓના રિપોર્ટના આધારે વિકાસ કમિંશ્નર દ્વારા તાલુકા પંચાયતનું વિસર્જન કરીને વહીવટદાર તરીકે ગોંડલ પ્રાંત અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા છે. તાલુકા પંચાયતના વિસર્જનને લઈને ભાજપ જૂથ આનંદમાં આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા જેમાં સામસામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

વેરાવળ બંદર ખાતે કોસ્ટગાર્ડ સહિત માછીમારોએ કર્યા યોગ

વેરાવળ બંદર ખાતે કોસ્ટગાર્ડ સહિત માછીમારોએ કર્યા યોગ

21મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ગીર સોમનાથમાં પણ ઉત્સાહથી યોગ દિવસની ઉજવણી થઈ હતી. તેમા કોસ્ટ ગાર્ડ, માછીમારો મરીન પોલીસ પણ જોડાઈ હતી. વેરાવળ બંદર પર કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને સ્થાનીક માછીમાર સમુદાયનાં સંયુક્ત ઉપક્રમે દરિયામાં લાંગરેલી બોટ ઉપર યોગાસન કરીને એકદમ જુદી જ રીતે યોગ કર્યા હતા. સોમનાથ ખાતે રાજ્યનાં કેબિનેટ મંત્રી ગોવિંદભાઇ પટેલ સહિત રાજ્ય સરકારનાં પ્રતિનીધિઓ સાથે સ્થાનિક નગરજનો અને વિદ્યાર્થી યોગમાં જોડાયા હતા.

હેન્ડસ ફ્રી બન્યા યમરાજ, કિશોરે ગુમાવ્યો જીવ

હેન્ડસ ફ્રી બન્યા યમરાજ, કિશોરે ગુમાવ્યો જીવ

વેજલપુરમા રહેતા 14 વર્ષીય શિવમ પટેલનું જીવરાજ પાર્ક નજીક રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટથી આવી જતાં મોત થયું હતું.. શિવમ જ્યારે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બોટાદ-ગાંધીધામ ટ્રેન બોટાદ તરફથી આવી રહી હતી. ડ્રાયવરે શિવમને ટ્રેક ક્રોસ કરતો જોઇને વારંવાર હોર્ન વગાડ્યો હતો.પરંતુ શિવમે કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાવેલા હોવાથી તેણે હોર્ન સાંભળ્યું નહીં. અને તેણે પાટા ઓળંગી લીધા હતા પરંતુ તેના હાથમાં સાઇકલ હતી તેને ટ્રેનનો ધક્કો વાગાત શિવમનું માથું ટ્રેન સાથે અફળાયું હતું. શિવમનો મૃતદહે જોતા જ તેના પિતા ઉર્વેશભાઈ આઘાતથી દિગ્મૂઢ થઈ ગયા હતા અને વારવંરા વિલાપ કરતા બોલતા હતા કે શિવમને ચાર દિવસ પહેલા સાઇકન ન અપાવી હોત તો સારું થાત... જોકે સૌ કોઈ એ ચર્ચા કરી રહ્યા હતા કે બાળકો તથા યુવાનો માટે આઇપેડ કે ફોનમાં ભરાવેલા હેન્ડસ ફ્રી મોત બની રહ્યા છે.

અમદાવાદમાં ઝાપટું પડતા જ મનપાની પોલ ખુલી

અમદાવાદમાં ઝાપટું પડતા જ મનપાની પોલ ખુલી

આજે અમદાવાદમાં વરસાદી ઝાપટા જ્યાં ગરમીમાં ઠંડક પહોંચાડી હતી ત્યાં જ આટલા છૂટાછવાયા વરસાદ નગરપાલિકાની પોલ ખોલી દીધી હતી કારણ કે ઠેર ઠેર પાણી ભરાઇ જતા વરસાદ પહેલા તંત્ર કેટલું સાબદુ છે તે છતું થઇ ગયું હતું.

English summary
June 22 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X