મહાત્મા ગાંધીને અપશબ્દો બોલનાર કાલીચરણ મહારાજ ખજુરાહોથી ગિરફ્તાર
ઉત્તરાખંડના હરિદ્વારમાં આયોજિત ધર્મ સંસદની અંદર મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર અને તેમને અપશબ્દો બોલનાર કહેવાતા સંત કાલીચરણ મહારાજની છત્તીસગઢ પોલીસે ખજુરાહોથી ધરપકડ કરી છે. બે દિવસ પહેલા છત્તીસગઢ પોલીસે કાલીચરણ મહા
ઉત્તરાખંડના હરિદ્વારમાં આયોજિત ધર્મ સંસદની અંદર મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર અને તેમને અપશબ્દો બોલનાર કહેવાતા સંત કાલીચરણ મહારાજની છત્તીસગઢ પોલીસે ખજુરાહોથી ધરપકડ કરી છે. બે દિવસ પહેલા છત્તીસગઢ પોલીસે કાલીચરણ મહારાજ સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો, ત્યારબાદ આજે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે કાલીચરણ મહારાજ સામે આઈપીસીની કલમ 505(2) (સમાજ વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા દુષ્ટતાનું કારણ અને પ્રોત્સાહન) અને કલમ 294 [કોઈપણ જાહેર સ્થળે વાંધાજનક કૃત્ય કરવું] હેઠળ ગુનો નોંધ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ધર્મ સંસદનું આયોજન રવિવારે રાયપુરના રાવણ ભાટા મેદાનમાં કરવામાં આવ્યું હતું, જેમાં કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધી પર ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરતા કહ્યું હતું કે ઇસ્લામનો હેતુ રાજનીતિ દ્વારા દેશ પર કબજો કરવાનો છે.












Click it and Unblock the Notifications
