Karnataka CM : દિલ્હી જતા પહેલા ડીકે શિવકુમારનું મોટુ નિવેદન, જાણો મુખ્યમંત્રી પદને લઈને શું કહ્યું?
બીજેપીને ખરાબ રીતે હરાવીને કોંગ્રેસે હવે સરકાર બનાવવા માટે કવાયત તેજ કરી છે. આ કવાયત વચ્ચે અહેવાલો આવી રહ્યા છે કે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. આ ખેંચતાણ વચ્ચે ડીકે શિવકુમારનું મોટુ નિવેદન સામે આવ્યુ છે.
કર્ણાટકના મુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય કરવા માટે કોંગ્રેસના જીતેલા ધારાસભ્યોએ મલ્લિકાર્જુન ખડગેને સત્તા આપી છેે. જો કે બીજી તરફ પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારના સમર્થકો વચ્ચે પોસ્ટર વોર ચાલી રહ્યું છે. હવે બન્ને નેતાઓ દિલ્હી પહોંચીને હાઈ કમાન્ટ સાથે બેઠક કરશે.

સીએમ પદના પ્રબળ દાવેદાર મનાતા ડીકે શિવકુમારનો રવિવારે જન્મદિવસ છે. આ સ્થિતિ હવે તેમના સમર્થકોને અપેક્ષા છે કે તેમને બર્થડે ગિફ્ટ મળશે. હવે દિલ્હી જતા પહેલા તેમણે મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે, અમે સિંગલ લાઇનનો ઠરાવ પસાર કર્યો છે. મારા નેતૃત્વમાં અમારી પાસે 135 ધારાસભ્યો છે જે તમામે સર્વસંમતિથી મામલો પાર્ટી હાઈકમાન્ડ પર છોડી દીધો છે.
સીએમના નિર્ણય મુદ્દે શિવકુમારે કહ્યું કે, મારો ઉદ્દેશ્ય કોંગ્રેસ પાર્ટી દ્વારા કર્ણાટકની સેવા કરવાનો છે. તેમણે આગળ કહ્યું કે, હું એક વાતમાં માનું છું કે સાહસિક વ્યક્તિ બહુમત બનાવે છે. મેં તે સાબિત કરી દીધું છે. છેલ્લા પાંચ વર્ષમાં શું થયું છે તે હું જાહેર કરવા માંગતો નથી. હું તમને તેના વિશે ભવિષ્યમાં જણાવીશ.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં કોંગ્રેસે ઐતિહાસિક જીત મેળવી છે. કોંગ્રેસ કુલ 224 બેઠકોમાંથી 135 બેઠકો જીતીને સરકાર બનાવવા જઈ રહી છે. અહીં બીજેપીને માત્ર 66 બેઠકો મળી છે.












Click it and Unblock the Notifications
