karnataka crisis: યેદિયુરપ્પાની જગ્યા લઈ શકે છે આ બે નેતાઓ
કર્ણાટકમાં મુખ્યમંત્રી પદે યેદિયુરપ્પાના રાજીનામા બાદ હવે નવા મુખ્યમંત્રીના નામને લઈને અટકળો શરૂ થઈ છે. આ દરમિયાન ભાજપે કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને નિરીક્ષક તરીકે મોકલવાનો નિર્ણય લીધો છે.
કર્ણાટકમાં મુખ્યમંત્રી પદે યેદિયુરપ્પાના રાજીનામા બાદ હવે નવા મુખ્યમંત્રીના નામને લઈને અટકળો શરૂ થઈ છે. આ દરમિયાન ભાજપે કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને નિરીક્ષક તરીકે મોકલવાનો નિર્ણય લીધો છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી પદની રેસમાં સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીનું નામ આગળ છે. આ ઉપરાંત કર્ણાટકના ગૃહ પ્રધાન બાસવરાજ બોમ્માઇ પણ પણ રેસમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કર્ણાટકના સીએમની નવા નેતાની પસંદગીમાં એકથી બે દિવસનો સમય લાગી શકે છે. ત્યાં સુધી યેદિયુરપ્પા મુખ્યમંત્રીનો બન્યા રહેશે.

યેદિયુરપ્પાએ કહ્યું કે, કોઈએ મારા પર રાજીનામું આપવા દબાણ કર્યું નથી. મેં જાતે જ રાજીનામું આપ્યું છે જેથી સરકારના બે વર્ષ પૂરા થવા પર મને થોડી વધુ તક મળી શકે. આગામી ચૂંટણીઓમાં પણ ભાજપને સત્તામાં લાવવા માટે હું મારું પૂર્ણ યોગદાન આપીશ. મેં મારા ઉત્તરાધિકારી તરીકે કોઈનું નામ લીધું નથી. અગાઉ, રાજીનામું આપવાની ઘોષણા કરતા યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, મેં દરેક સમયે ભાજપને રાજ્યમાં મજબુત કરી છે. તે સમયે અમે દિવસભર સાયકલ દ્વારા મુસાફરી કરતા હતા, જે સમયે રાજ્યમાં પાર્ટીને ઉભી કરવા વાળુ કોઈ નહોતું.
યેદિયુરપ્પાએ એમ પણ કહ્યું છે કે તે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા પછી પણ સક્રિય રાજકારણમાં જ રહેશે. રાજ્યપાલ બનવાની શક્યતાઓ અંગે તેમણે કહ્યું કે તે બિલકુલ નહીં થાય. તમને જણાવી દઈએ કે યેદિયુરપ્પા તાજેતરમાં જ તેમના પુત્ર સાથે દિલ્હી ગયા હતા અને ત્યારબાદ એવી અટકળો ચાલી રહી હતી કે તેમને પદ પરથી હટાવવામાં આવશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
