karnataka crisis: યેદિયુરપ્પાની જગ્યા લઈ શકે છે આ બે નેતાઓ
કર્ણાટકમાં મુખ્યમંત્રી પદે યેદિયુરપ્પાના રાજીનામા બાદ હવે નવા મુખ્યમંત્રીના નામને લઈને અટકળો શરૂ થઈ છે. આ દરમિયાન ભાજપે કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને નિરીક્ષક તરીકે મોકલવાનો નિર્ણય લીધો છે.
કર્ણાટકમાં મુખ્યમંત્રી પદે યેદિયુરપ્પાના રાજીનામા બાદ હવે નવા મુખ્યમંત્રીના નામને લઈને અટકળો શરૂ થઈ છે. આ દરમિયાન ભાજપે કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને નિરીક્ષક તરીકે મોકલવાનો નિર્ણય લીધો છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી પદની રેસમાં સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીનું નામ આગળ છે. આ ઉપરાંત કર્ણાટકના ગૃહ પ્રધાન બાસવરાજ બોમ્માઇ પણ પણ રેસમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કર્ણાટકના સીએમની નવા નેતાની પસંદગીમાં એકથી બે દિવસનો સમય લાગી શકે છે. ત્યાં સુધી યેદિયુરપ્પા મુખ્યમંત્રીનો બન્યા રહેશે.

યેદિયુરપ્પાએ કહ્યું કે, કોઈએ મારા પર રાજીનામું આપવા દબાણ કર્યું નથી. મેં જાતે જ રાજીનામું આપ્યું છે જેથી સરકારના બે વર્ષ પૂરા થવા પર મને થોડી વધુ તક મળી શકે. આગામી ચૂંટણીઓમાં પણ ભાજપને સત્તામાં લાવવા માટે હું મારું પૂર્ણ યોગદાન આપીશ. મેં મારા ઉત્તરાધિકારી તરીકે કોઈનું નામ લીધું નથી. અગાઉ, રાજીનામું આપવાની ઘોષણા કરતા યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, મેં દરેક સમયે ભાજપને રાજ્યમાં મજબુત કરી છે. તે સમયે અમે દિવસભર સાયકલ દ્વારા મુસાફરી કરતા હતા, જે સમયે રાજ્યમાં પાર્ટીને ઉભી કરવા વાળુ કોઈ નહોતું.
યેદિયુરપ્પાએ એમ પણ કહ્યું છે કે તે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા પછી પણ સક્રિય રાજકારણમાં જ રહેશે. રાજ્યપાલ બનવાની શક્યતાઓ અંગે તેમણે કહ્યું કે તે બિલકુલ નહીં થાય. તમને જણાવી દઈએ કે યેદિયુરપ્પા તાજેતરમાં જ તેમના પુત્ર સાથે દિલ્હી ગયા હતા અને ત્યારબાદ એવી અટકળો ચાલી રહી હતી કે તેમને પદ પરથી હટાવવામાં આવશે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
