ધારવાડ બિલ્ડિંગ દુર્ઘટનામાં 3 દિવસે જીવતો નિકળ્યો શખ્સ, 14નાં મોત
ધારવાડ બિલ્ડિંગ દુર્ઘટનામાં 3 દિવસે જીવતો નિકળ્યો શખ્સ
બેંગ્લોરઃ કર્ણાટકના ધારવાડમાં ત્રણ દિવસ પહેલા એક નિર્માણાધીન બિલ્ડિંગ ધરાસાઈ થઈ ગઈ હતી જેમાં અત્યાર સુધીમાં 14 લોકો મૃત્યુ પામ્યા. જ્યારે હજુ પણ કેટલાય લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 56 લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 12 લોકો હજુ પણ લાપતા છે. આ દુર્ઘટના 19 માર્ચે ઘટી હતી. ઘટનાના ત્રણ દિવસ બાદ આજે શુક્રવારે સવારે કામાળમાંથી બચાવકર્મીઓએ એક વ્યક્તિને જીવતો બહાર કાઢી લીધો છે.

અત્યાર સુધીમાં 14 લોકોનાં મોત
ઘટના સ્થળે હાજર ધાવાડ ડેપ્યૂટી કમિશનર દીપા ચોલને જણાવ્યું, આ ઘટનામાં કુલ 14 લોકોનાં મોત થયાં છે. કાલે અમે બે લોકોને બચાવ્યા. કાટમાળમાં ત્રણ અન્ય લોકો ફસાયેલા છે. તેમને અમે ઓક્સિઝન અે ઓઆરએસ આપ્યા છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ બચાવ અભિયાન ચલાવી રહી છે. આ સમયે પણ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે બચાવકાર્યમાં લાગી છે.
|
અન્ય કેટલાય લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા
આ ઘટના વિશે ધારવાડ પોલીસે જણાવ્યું કે દિવ્યા ઉનાકલ, દક્ષાયિણી અને અન્ય એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ઓછામાં ઓછા 12-15 શખ્સો કાટમાળ નીચે દબાયા હોવાની બચાવકર્મીઓને આશંકા છે કેમ કે કાટમાળ નીચેથી અવાજ આવતો સંભળાઈ રહ્યો છે. ધારવાડમાં બિલ્ડિંગ જમીનદોસ્ત થવાના મામલામાં ઈમારતના માલિકો, રવિ બસવરાજ સબરાડ, બસવરાજ ડી નિગાડી, ગંગપ્પા એસ શિનત્રી, મહાબલેશ્વર પુરદાગુડી અને એન્જિનિયર વિવેક પવાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તમામ ચારેય માલિકોએ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું છે જ્યારે એન્જિનિયરને પણ પોલીસે દબોચી લીધો છે.
|
12 લોકો હજુ પણ લાપતા
બિલ્ડિંગ જમીનદોસ્ત થયાની થોડી વારમાં જ મુખ્યમંત્રી કુમારસ્વામીનું નિવેદન આવ્યું હતું, તેમણે કહ્યું હતું કે ધારવાડમાં નિર્માણાધીન ઈમારત પડતાં આઘાતમાં છું, બચાવ કાર્ય માટે મેં મુખ્ય સચિવને બચાવ કાર્યની દેખરેખ રાખવા નિર્દેશ આપ્યા છે. સાથે જ મેં સીએમને વિશેષ ઉડાણ દ્વારા અતિરિક્ત સંસાધન અને વિશેષજ્ઞ બતાવ દળ મોકલવાનો નિર્દેશ આપ્યો છે. જણાવી દઈએ કે કર્ણાટકમાં બિલ્ડિંગ પડવાનો આ પહેલો મામલો નથી. અગાઉ પણ બેંગ્લોરના ત્યાગરાજ નગર ક્ષેત્રમાં ઈમારત ધરાશાઈ થઈ હતી.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
