કોંગ્રેસનું લિંગાયત કાર્ડ ફેઈલ, ભાજપ પર વરસ્યા લિંગાયત કાર્ડ
કર્ણાટકના પ્રારંભિક રૂઝાનોમાં ભારતીય જનતા પક્ષને બહુમત મળતો દેખાઈ રહ્યો છે. ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસે ઘણી ઘોષણાઓ કરી.
કર્ણાટકના પ્રારંભિક રૂઝાનોમાં ભારતીય જનતા પક્ષને બહુમત મળતો દેખાઈ રહ્યો છે. ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસે ઘણી ઘોષણાઓ કરી. આ ઘોષણાઓમાંથી એક હતી લિંગાયત સમુદાયને અલ્પસંખ્યકનો દરજ્જો અપાવવાનો પ્રસ્તાવ. પરંતુ કોંગ્રેસનો આ દાવ ફેઈલ રહ્યો. કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ભારતીય જનતા પક્ષની વોટ બેંક માનવામાં આવે છે.

લિંગાયત સમુદાયના વોટ માટે સિદ્ધારમૈયાએ ખેલ્યો હતો દાવ
કોંગ્રેસ લિંગાયત સમુદાયના વોટ મેળવવા ઈચ્છતી હતી. જો લિંગાયતના વોટ કોંગ્રેસને મળી જતા તો તે ફરીથી સત્તા પર આવી શકતી હતી. પરંતુ આવુ બન્યુ નહિ. જ્યાં લિંગાયતોનો દબદબો છે તેવી જગ્યાઓએ કોંગ્રેસે સારુ પ્રદર્શન કર્યુ નહિ.

પ્રારંભિક રૂઝાનોમાં પાછળ કોંગ્રેસ
કર્ણાટકમાં લગભગ 90 સીટો એવી છે જ્યાં લિંગાયત સમુદાયના લોકો વોટ જીતવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. હૈદરાબાદ-કર્ણાટક રિજન (40 સીટો) અને બોમ્બે-કર્ણાટક રિજન (50 સીટો) ની આ સીટો કર્ણાટકમાં કોણ જીતશે તેનો નિર્ણય કરે છે. કર્ણાટકની ખુરશી પર કોણ બેસશે તે લગભગ અહીંથી નક્કી થતુ હોય છે. વર્ષ 2013 માં જો કોંગ્રેસની સરકાર બની હતી તો તેની પાછળ પણ લિંગાયતના વોટોનો જ હાથ હતો.

કોંગ્રેસે 23 સીટો જીતી હતી
વર્ષ 2013 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 23 સીટો જીતી હતી. વળી, ભાજપને માત્ર 5 સીટો મળી હતી. સીટ જીતવા મામલે જેડીએસ ત્રીજી મોટી પાર્ટી રહી હતી. આ વખતે 70 ટકા મતદાન થયુ હતુ. તમને જણાવી દઈએ કે કર્ણાટકની 224 માંથી 222 સીટો પર 12 મે ના રોજ મતદાન થયુ હતુ. આ વખતે લગભગ 70 ટકા મતદાન થયુ છે. મતોની ગણતરી માટે પ્રદેશભરમાં 38 કેન્દ્ર બનાવવામાં આવ્યા છે અને અહીં સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જેથી કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાથી બચી શકાય.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
