Karnataka Election : કર્ણાટક એક્ઝિટ પોલ વિશે યેદિયુરપ્પાએ શું કહ્યું?
કર્ણાટકમાં મતદાન પુરૂ થઈ ગયુ છે. આ મતદાનમાં બીજેપી માટે સારા સંકેત નથી. એક તરફ સત્તા બચાવવા બીજેપી મેદાને છે ત્યારે બીજી તરફ આવેલા એક્ઝિટ પોલે રાજ્યમાં બીજેપી સત્તા ગુમાવી રહી હોવામા સંકેત આપ્યા છે. હવે આ મુદ્દે યેદિયુરપ્પાનું નિવેદન સામે આવ્યુ છે.
મીડિયા સાથે વાત કરતા બીજેપી વરિષ્ટ નેતા અને પુર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું કે, મને હજુ પણ 100 ટકા ખાતરી છે કે અમે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. ત્રિશંકુ વિધાનસભા અથવા ગઠબંધન સરકારનો કોઈ પ્રશ્ન નથી પરંતુ રાષ્ટ્રીય નેતૃત્વ અંતિમ નિર્ણય લેશે.

યેદિયુરપ્પાએ કહ્યું કે, મારો અંદાજ છે કે પાર્ટીને 115-117 સીટો મળવાની છે. હવે જેડીએસમાં જોડાવાનો પ્રશ્ન જ નથી.અહીં યેદિયુરપ્પાએ પરિણામની રાહ જોવા માટે કહ્યું.
અહીં તમને જણાવી દઈએ કે, તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ આગળ છે. પોલ ઓફ પોલમાં કોંગ્રેસને 111 સીટો મળવાની સંભાવના છે. જે બહુમતથી માત્ર 2 સીટ દુર છે. બીજી તરફ બીજેપીને અહીં માત્ર 97 સીટો જ મળી શકે છે. અહીં પરિણામો થોડા પણ ઉપર નીચે થાય તો જેડીએસ કિંગ મેકર બની શકે છે.
કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો છે. આમાંથી બહુમતી માટે 113ની જરૂર છે. ગઈ ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી ન હતી, જેના કારણે જેડીએસ-કોંગ્રેસે સાથે મળીને સરકાર બનાવી હતી. જે બાદ બીજેપીએ તોડફોડ કરીને સરકાર બનાવી હતી.












Click it and Unblock the Notifications
