કર્ણાટકનું નાટકઃ ફ્લોર ટેસ્ટ થતાં પહેલા કાલે શું થશે
કર્ણાટકમાં ચાલી રહેલ રાજકીય સંગ્રામ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. ચૂંટણી પરિણામો બાદ જે રીતે કર્ણાટકના રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યુ અને કર્ણાટકના સીએમ પદના શપથ લેવડાવ્યા.
કર્ણાટકમાં ચાલી રહેલ રાજકીય સંગ્રામ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. ચૂંટણી પરિણામો બાદ જે રીતે કર્ણાટકના રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યુ અને ગુરુવારે બીએસ યેદિયુરપ્પાને કર્ણાટકના સીએમ પદના શપથ લેવડાવ્યા, આના માટે કોંગ્રેસ પક્ષ સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો. શુક્રવારે સુપ્રિમ કોર્ટમાં કર્ણાટકના રાજકીય ઘટનાક્રમ પર સુનાવણી થઈ. જેમાં સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યો કે કર્ણાટકમાં શનિવારે એટલે કે કાલે જ સાંજે 4 વાગે ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવશે. કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયુ કે કર્ણાટકમાં ભાજપની યેદિયુરપ્પા સરકારને શનિવારે જ પોતાનો બહુમત સાબિત કરવાનો રહેશે. સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ મોટો સવાલ એ છે કે છેવટે કર્ણાટકમાં શનિવારે થનારા ફ્લોર ટેસ્ટ પહેલા શું-શું થશે.

1-સૌથી પહેલા રાજ્યપાલ વિધાનસભાની બેઠક લેશે
સંવિધાન વિશેષજ્ઞ સુભાષ કશ્યપના જણાવ્યા મુજબ કર્ણાટકના હાલના રાજકીય માહોલમાં રાજ્યપાલ વિધાનસભાની બેઠક લેશે. આ બેઠકમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો શામેલ થશે. આ દરમિયાન ભાજપ, કોંગ્રેસ, જેડીએસ સહિત બધા નવા ધારાસભ્યો ભાગ લેશે. ત્યારબાદ પંરપરા મુજબ સૌથી સીનિયર મોસ્ટ ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર નોમિનેટ કરવામાં આવશે.

2-રાજ્યપાલ તરફથી પ્રોટેમ સ્પીકરનું નામ નક્કી થશે
સંવિધાન વિશેષજ્ઞ સુભાષ કશ્યપે જણાવ્યું કે રાજ્યપાલ તરફથી જ પ્રોટેમ સ્પીકરનું નામ નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે પરંપરા છે કે સૌથી વરિષ્ઠ ધારાસભ્યને જ પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટવામાં આવે છે. પ્રોટેમ સ્પીકર જ વિધાનસભાની કાર્યવાહીની અધ્યક્ષતા કરશે. જો કે પ્રોટેમ સ્પીકર પાસે વિધાનસભા અધ્યક્ષ જેટલી શક્તિઓ નથી હોતી.

3-પ્રોટેમ સ્પીકર જ નવા ધારાસભ્યને શપથ લેવડાવશે
પ્રોટેમ સ્પીકર જ નવા ધારાસભ્યોને શપથ લેવડાવશે. ત્યારબાદ તે વિધાનસભાના સભ્ય માનવામાં આવશે. તમને જણાવી દઈએ કે પ્રોટેમ સ્પીકર પાસે બે અધિકાર હોય છે. પહેલો અધિકાર નવી વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યોને શપથ લેવડાવવા અને બીજો અધિકાર રેગ્યુલર સ્પીકર એટલે કે વિધાનસભાના સ્થાયી અધ્યક્ષની ચૂંટણી કરાવવી.

4- યેદિયુરપ્પાનો બહુમત હોવાના દાવાનો પ્રસ્તાવ
સંવિધાન વિશેષજ્ઞ સુભાષ કશ્યપે જણાવ્યુ કે ત્યારબાદ મુખ્યમંત્રી યેદિયુરપ્પા બહુમત હોવાના દાવાનો પ્રસ્તાવ લાવશે.

5- કાયદાકીય રીતે ફ્લોર ટેસ્ટ
સુપ્રિમ કોર્ટેના નિર્દેશાનુસાર પ્રોટેમ સ્પીકર જ કાયદાકીય રીતે ફ્લોર ટેસ્ટ કરાવશે અને પરિણામ ઘોષિત કરશે. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જો પ્રોટેમ સ્પીકર કરાવે તો તેમાં સંવિધાનિક રીતે કંઈ ખોટુ નથી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
