Karnataka Result : ધર્મનિરપેક્ષ લોકો એક થાય તો બીજેપીને ઉખાડી ફેંકશે-એકે એન્ટની
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના હાથે કરારી હાર બીજેપી માટે લાલ બત્તી સાબિત થાય તેમ છે. નફરતી ભાષણો આપીને લોકોના મત મેળવવાની બીજેપી અને પીએમ મોદીની રાજનીતિ કર્ણાટકમાં ચાલી નથી. હવે આ મુદ્દે પુર્વ કેન્દ્રિયમંત્રી એકે એન્ટનીનું નિવેદન સામે આવ્યુ છે.
કર્ણાટકમાં કોંગ્રેસે બજરંગ દળને લઈને મોટો દાવ ખેલ્યો હતો. આ દાવમાં બીજેપી બરાબર ફસાઈ છે. બજરંદ દળ પરના પ્રતિબંધને બીજેપીએ હનુમાનજીનું અપમાન ગણાવીને રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો. જો કે કર્ણાટકના લોકોએ પીએમ મોદી અને બીજેપીના આ દાવા પર કોઈ ધ્યાન આપ્યુ નથી. હવે એકે એન્ટનીએ આ મુદ્દે બીજેપીની ચુટકી લીધી છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સંરક્ષણ મંત્રી એકે એન્ટોનીએ કર્ણાટક ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતા બીજેપી પર આકરા પ્રહારો કર્યા. એકે એન્ટનીએ કહ્યું કે, જો દેશના ધર્મનિરપેક્ષ મતદારો એક થાય તો 2024માં ભાજપને સરળતાથી ઉખાડીને ફેંકી શકાય તેમ છે.
એકે એન્ટોનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, કર્ણાટક ચૂંટણીનું પરિણામ નફરતની રાજનીતિ સામે બિનસાંપ્રદાયિક શક્તિઓની જીત છે. તેમણે કહ્યું કે, આ એક રીતે છે કે જો દેશના ધર્મનિરપેક્ષ મતદારો એક થાય તો તે 2024ની ચૂંટણીમાં મોદી સરકારને સરળતાથી ઉથલાવી શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, દેશમાં બીજેપી દ્વારા થઈ રહેલી લોકશાહી વિરોધી ગતિવિધીઓને લઈને વિપક્ષમાં હાલ મોટી હલચલ છે અને 2024માં તમામ પાર્ટીઓ એક થઈને બીજેપીને માત આપવા મેદાનમાં ઉતરી શકે છે.












Click it and Unblock the Notifications
