શ્રીલંકામાં તમિળોનું નામ ભૂંસી નાખવા માગે છે રાજપક્ષેઃ કરુણાનિધિ

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેની શુક્રવારથી શરૂ થઇ રહેલી બે દિવસીય ભારત યાત્રાના વિરોધમાં રેલીનું નેતૃત્વ કરી રહેલા કરુણાનિધિએ કહ્યું, 'રાજપક્ષે શ્રીલંકામાંથી માત્ર તમિળોને જ નહીં, પરંતુ તમિળોની ભાષાને પણ ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે.' તેમણે કહ્યું કે, શ્રીલંકાની સરકાર તમિળ નામવાળા ગામોને સિંઘળી નામ આપી રહી છે. તેમણે કહ્યું કે, આ પ્રદર્શન રાજપક્ષેને પાઠ ભણાવવા માટે કરવામાં આવી રહ્યું છે. રેલીમાં ડીએમકે સહિત અન્ય તમિળ સંગઠનોના સભ્યો અને નેતાઓના કાળા કપડાં પહેરીને હાજરી આપી અને પોતાનો વિરોધ દર્શાવ્યો.
નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે શુક્રવાર બોધગયા પહોંચ્યા તો તેમની ભારત યાત્રાના વિરોધમાં એમડીએમકેના શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદર્શન કર્યું. એમડીએમકેના મહાસચિવ વાઇકોએ નેતૃત્વમાં પાર્ટીને સંસદ માર્ગ પર પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓના હાથમાં તખ્તીઓ હતી, જેના પર રાજપક્ષે વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા સહિતના માંગો લખેલી હતી. પ્રદર્શનકારીઓ રાજપક્ષે વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રહ્યાં હતા.
બીજી તરફ રાજપક્ષે બિહાર પહોંચ્યા, જ્યાં તે બોધગયા સ્થિત મહાબોધિ મંદિરમાં પ્રાર્થના માટે ગયા. તે આંધ્ર પ્રદેશમાં તિરુપતિમાં પણ જશે અને શનિવારે કોલંબો જતા રહેશે. તેમણે પોતાની યાત્રાને વ્યક્તિગત જણાવી છે. તેમણે નવી દિલ્હી પહોંચ્યાનો કોઇ કાર્યક્રમ નથી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
