Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કાસગંજમાં પૂર્ણિમા સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલુ ટ્રેક્ટર તળાવમાં ખાબક્યુ, 15 લોકોના મોત

Kasganj Accident: ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં શનિવારે એક મોટો અકસ્માત થયો હતો. કાસગંજ જિલ્લામાં પૂર્ણિમાનુ સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રૉલી તળાવમાં પલટી ગઈ હતી. ટ્રેક્ટર ટ્રૉલી પલટી જવાને કારણે એક ડઝનથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેક્ટર ટ્રૉલી 40થી વધુ શ્રદ્ધાળુઓથી ભરેલી હતી અને તમામ લોકો માઘી પૂર્ણિમાના દિવસે ટ્રેક્ટર ટ્રૉલીમાં કાદરગંજ ગંગા ઘાટ પર સ્નાન કરવા જઈ રહ્યા હતા. ડ્રાઈવર ટ્રેક્ટર પર સવાર શ્રદ્ધાળુઓને લઈને રિયાવગંજ પટિયાલી રોડ પર ગધાઈ ગામ પાસે પહોંચ્યો હતો.

Kasganj Accident

જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ટ્રેક્ટરની સ્પીડ વધુ હોવાને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બેકાબૂ ટ્રેક્ટર રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં ખાબક્યું. ટ્રેક્ટર તળાવમાં પડી ગયા બાદ ટ્રૉલી પલટી ગઈ હતી. ટ્રૉલી પલટી જતાં તેમાં મુસાફરી કરી રહેલા લોકો કચડાઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતાં જ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો આવી પહોંચ્યા હતા અને તળાવમાંથી ડૂબી ગયેલા લોકોને બહાર કાઢીને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ગંભીર રીતે ઘાયલ લોકોને તળાવમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ અંગે ચીફ મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હોસ્પિટલ પહોંચ્યા બાદ 15 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે જ્યારે અનેક માસૂમ બાળકો, મહિલાઓ અને વૃદ્ધો ઘાયલ છે. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે જ્યારે તળાવમાં ડૂબી ગયેલા લોકોની શોધખોળ માટે હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે.

પ્રાથમિક માહિતી અનુસાર મૃતકો એટાહ જિલ્લાના રહેવાસી હતા. મૃતકોમાં મહિલાઓની સાથે માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે. સીએમઓ રાજીવ અગ્રવાલે માહિતી આપી કે 15 લોકોના મોત થયા છે. અન્ય લોકોની સારવાર ચાલી રહી છે. જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી તપાસ કરી રહ્યા છે અને ઘટનાની માહિતી મેળવવા ઘાયલો સાથે વાત કરી રહ્યા છે.

દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ સીએમ યોગી આદિત્યનાથે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા અને યોગ્ય મફત સારવાર આપવાની સૂચના આપી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X