'તૈયાર રહો, તમે મરશો', રાહુલ ભટ્ટની હત્યા બાદ આતંકીઓની કાશ્મીરી પંડિતોને ધમકી
આતંકવાદી સંગઠન લશ્કર-એ-ઈસ્લામે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં કાશ્મીરી પંડિતોને ખુલ્લેઆમ ધમકી આપી છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો હાલમાં ડરેલા છે. બડગામ જિલ્લાના ચદૂરામાં કાર્યાલયની અંદર ગુરુવારે સરકારી કર્મચારી રાહુલ ભટ્ટની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી ત્યારબાદથી કાશ્મીરી પંડિત પોતાની સુરક્ષાને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે. આ દરમિયાન આતંકવાદી સંગઠન લશ્કર-એ-ઈસ્લામે રવિવારે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં હવાલ ટ્રાંઝિટ આવાસમાં રહેતા કાશ્મીરી પંડિતોને ખુલ્લેઆમ ધમકી આપી છે.

'ઘાટી છોડો અથવા મરવા માટે તૈયાર રહો'
લશ્કર-એ-ઈસ્લામના આતંકીઓએ એક પોસ્ટર જાહેર કરીને કાશ્મીરી પંડિતોને ધમકાવ્યા છે કે તેઓ ઘાટી છોડી દે અથવા પછી મરવા માટે તૈયાર રહે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ ટ્રાંઝિટ આવાસમાં રહેતા મોટાભાગના કાશ્મીરી પંડિત સરકારી સેવામાં છે.
પોસ્ટમાં લખ્યુ - તૈયાર રહો, તમે મરશો
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ હવાલ ટ્રાંઝિટ હાઉસિંગના અધ્યક્ષના પોસ્ટરમાં ધમકી આપવામાં આવી હતી કે, 'તમામ પ્રવાસીઓ અને આરએસએસ એજન્ટો કાશ્મીર છોડી દો અથવા મરવા માટે તૈયાર રહો. આવા કાશ્મીર પંડિતો કે જેઓ કાશ્મીર અને બીજું ઈઝરાયલ ઈચ્છે છે અને કાશ્મીરીઓ મુસ્લિમોને મારવા ઈચ્છે છે તેમના માટે અહીં કોઈ સ્થાન નથી. તમારી સુરક્ષા બમણી અથવા ત્રણ ગણી કરી લો તેમછતાં ટાર્ગેટ કિલિંગ માટે તૈયાર રહો, તમે મરશો.'
રાહુલ ભટ્ટની હત્યા બાદ પ્રદર્શન ચાલુ
તમને જણાવી દઈએ કે રાહુલ ભટ્ટની હત્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશમાં રહેતા કાશ્મીરી પંડિતો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની માંગ કરી રહ્યા છે. આ પહેલા જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યુ હતુ કે ઘાટીમાં કાશ્મીરી પંડિત સમુદાયના સરકારી કર્મચારીઓના રહેણાંક વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવશે.
ઉપરાજ્યપાલને કરી સુરક્ષાની માંગ
સરકારી કર્મચારી રાહુલ ભટ્ટની હત્યા બાદ કાશ્મીરી પંડિતોએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને પત્ર લખીને તેમની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કાશ્મીરી પંડિત સમુદાયના સરકારી કર્મચારીઓએ કાશ્મીર ઘાટીથી સલામત સ્થળે ખસેડવાની અપીલ કરી હતી. પોતાના પત્રમાં તેમણે કહ્યુ કે તે સુરક્ષિત નથી અનુભવતા. ઓલ પીએમ પેકેજ એમ્પ્લોઇઝ ફોરમે 14 મેના રોજ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને લખેલા પત્રમાં જણાવ્યુ હતુ કે, 'અમે પીએમ પેકેજ કર્મચારીઓ અને નોન-પીએમ પેકેજ કર્મચારીઓ તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને અમને કાશ્મીરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢો અને અમને બચાવો.' જો તમે જાતે કંઈપણ કરવા સક્ષમ નથી તો અમે તમને સામૂહિક રાજીનામુ આપવા તૈયાર છીએ.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
