Video: ધારહરા મીનાર ધસી પડ્યો, 400 લોકો ફસાયા
નવી દિલ્હી, 25 એપ્રિલ: નેપાળમાં આવેલા હાઇ તીવ્રતાવાળા ભૂકંપમાં ભારે નુકસાન થયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.9 આંકવામાં આવી રહી છે. તેનું કેન્દ્ર બિંદુ પોખરાથી 80 કિમી દુર તામજુંગ છે જે જમીનમાં 31 કિમી અંદર આવેલ છે. અત્યાર સુધીની જાણકારી અનુસાર નેપાળમાં 30 લોકોના મરવાની ખરાઇ કરાઇ ચૂકી છે જ્યારે હજી આ મૃત્યુઆંક 150 સુધી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ન્યૂઝ એજન્સી રોયટર અનુસાર કાઠમાંડૂના ધારહરા મીનારના ધસવાથી 400 લોકોના ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાહત અને બચાવ કાર્યની ગતિ વધારી દેવામાં આવી છે. એનડીએમસીની ટીમમાં નેપાળ રવાના થઇ ગઇ છે.
આ ભૂકંપ નેપાળના ઇતિહાસમાં બીજો સૌથી મોટો ભૂકંપ છે. આ પહેલા 1934માં નેપાળ અને ઉત્તરી બિહારમાં 8.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 10,600 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. નેપાળની સાથે સાથે ઉત્તર ભારતમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેમાં બિહાર, નેપાળ, અસમ, કોલકાતા, ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભારતમાં 20 લોકોના મોત
નેપાળમાં આવેલા જબરદસ્ત ભૂકંપને પગલે ભારતમાં પણ જાનમાલનું નુકસાન થયું છે. ભારતમાં 20 લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જ્યારે નેપાળમાં કુલ મૃત્યુઆંક 150 પહોંચ્યો છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઇ લેવલ બેઠક બોલાવી
- ભારતમાં 20ના મોત
- બિહારમાં 15ના મોત
- પશ્ચિમ બંગાળમાં 3ના મોત
- ઉત્તર પ્રદેશમાં 2ના મોત
- નેપાળમાં કુલ મૃત્યુઆંક 150 પહોંચ્યો
નેપાળ અને ભારતમાં મોતનો મંજર જુઓ વીડિયોમાં...

નેપાળ અને ભારતમાં મોતનો મંજર
આ ભૂકંપ નેપાળના ઇતિહાસમાં બીજો સૌથી મોટો ભૂકંપ છે. આ પહેલા 1934માં નેપાળ અને ઉત્તરી બિહારમાં 8.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

નેપાળ અને ભારતમાં મોતનો મંજર
નેપાળમાં આવેલા જબરદસ્ત ભૂકંપને પગલે ભારતમાં પણ જાનમાલનું નુકસાન થયું છે. ભારતમાં 20 લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જ્યારે નેપાળમાં કુલ મૃત્યુઆંક 150 પહોંચ્યો છે.

ભૂકંપની અસર, કાઠમાંડૂ
ઇજાગ્રસ્તોને કાઠમાંડૂમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.

ભૂકંપની અસર, કોલકાતા
હાઇરાઇઝ કંપનીના કર્મચારીઓ ભૂકંપના આંચકા અનુભવાતા બિલ્ડિંગમાંથી રસ્તા પર આવી ગયા હતા.

ભૂકંપની અસર, કાઠમાંડૂ
ઇજાગ્રસ્તોને કાઠમાંડૂમાં મેડિકેર હોસ્પિટલના સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.

ભૂકંપની અસર, કોલકાતા
હાઇરાઇઝ કંપનીના કર્મચારીઓ ભૂકંપના આંચકા અનુભવાતા બિલ્ડિંગમાંથી રસ્તા પર આવી ગયા હતા.

ભૂકંપની અસર, રાંચી
રાંચીમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર આવી ગયા હતા.
નેપાળ અને ભારતમાં મોતનો મંજર
નેપાળ અને ભારતમાં મોતનો મંજર
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
