Video: ધારહરા મીનાર ધસી પડ્યો, 400 લોકો ફસાયા
નવી દિલ્હી, 25 એપ્રિલ: નેપાળમાં આવેલા હાઇ તીવ્રતાવાળા ભૂકંપમાં ભારે નુકસાન થયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.9 આંકવામાં આવી રહી છે. તેનું કેન્દ્ર બિંદુ પોખરાથી 80 કિમી દુર તામજુંગ છે જે જમીનમાં 31 કિમી અંદર આવેલ છે. અત્યાર સુધીની જાણકારી અનુસાર નેપાળમાં 30 લોકોના મરવાની ખરાઇ કરાઇ ચૂકી છે જ્યારે હજી આ મૃત્યુઆંક 150 સુધી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ન્યૂઝ એજન્સી રોયટર અનુસાર કાઠમાંડૂના ધારહરા મીનારના ધસવાથી 400 લોકોના ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાહત અને બચાવ કાર્યની ગતિ વધારી દેવામાં આવી છે. એનડીએમસીની ટીમમાં નેપાળ રવાના થઇ ગઇ છે.
આ ભૂકંપ નેપાળના ઇતિહાસમાં બીજો સૌથી મોટો ભૂકંપ છે. આ પહેલા 1934માં નેપાળ અને ઉત્તરી બિહારમાં 8.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 10,600 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. નેપાળની સાથે સાથે ઉત્તર ભારતમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેમાં બિહાર, નેપાળ, અસમ, કોલકાતા, ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભારતમાં 20 લોકોના મોત
નેપાળમાં આવેલા જબરદસ્ત ભૂકંપને પગલે ભારતમાં પણ જાનમાલનું નુકસાન થયું છે. ભારતમાં 20 લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જ્યારે નેપાળમાં કુલ મૃત્યુઆંક 150 પહોંચ્યો છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઇ લેવલ બેઠક બોલાવી
- ભારતમાં 20ના મોત
- બિહારમાં 15ના મોત
- પશ્ચિમ બંગાળમાં 3ના મોત
- ઉત્તર પ્રદેશમાં 2ના મોત
- નેપાળમાં કુલ મૃત્યુઆંક 150 પહોંચ્યો
નેપાળ અને ભારતમાં મોતનો મંજર જુઓ વીડિયોમાં...

નેપાળ અને ભારતમાં મોતનો મંજર
આ ભૂકંપ નેપાળના ઇતિહાસમાં બીજો સૌથી મોટો ભૂકંપ છે. આ પહેલા 1934માં નેપાળ અને ઉત્તરી બિહારમાં 8.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

નેપાળ અને ભારતમાં મોતનો મંજર
નેપાળમાં આવેલા જબરદસ્ત ભૂકંપને પગલે ભારતમાં પણ જાનમાલનું નુકસાન થયું છે. ભારતમાં 20 લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જ્યારે નેપાળમાં કુલ મૃત્યુઆંક 150 પહોંચ્યો છે.

ભૂકંપની અસર, કાઠમાંડૂ
ઇજાગ્રસ્તોને કાઠમાંડૂમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.

ભૂકંપની અસર, કોલકાતા
હાઇરાઇઝ કંપનીના કર્મચારીઓ ભૂકંપના આંચકા અનુભવાતા બિલ્ડિંગમાંથી રસ્તા પર આવી ગયા હતા.

ભૂકંપની અસર, કાઠમાંડૂ
ઇજાગ્રસ્તોને કાઠમાંડૂમાં મેડિકેર હોસ્પિટલના સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.

ભૂકંપની અસર, કોલકાતા
હાઇરાઇઝ કંપનીના કર્મચારીઓ ભૂકંપના આંચકા અનુભવાતા બિલ્ડિંગમાંથી રસ્તા પર આવી ગયા હતા.

ભૂકંપની અસર, રાંચી
રાંચીમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર આવી ગયા હતા.
નેપાળ અને ભારતમાં મોતનો મંજર
નેપાળ અને ભારતમાં મોતનો મંજર
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
