ખરાબ મૌસમને લીધે કેદારનાથ-બદ્રીનાથ ધામની યાત્રામાં રુકાવાટ
ઉત્તરાખંડમાં કેદારનાથ અને બદ્રીનાથ ધામ યાત્રાને રોકી દેવામાં આવી. શ્રીનગરમાં ખરાબ હવામાને બાદ પોલીસેે અંહિયા શ્રદ્ધાલુઓને સાવચેતીના ભાગરુપે આગળ જતા રોકી દિધા હતા.

શ્રીનગરના એસએચઓ રવિ સૈનીએ જણાવ્યુ હતુ કે, શ્રીનગરમાં લોકોને રોકાવા માટે પુરી તૈયારી કરવામાં આવી છે. યાત્રીઓને અંહિયા કોઇ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહી કરવો પડે. યાત્રીઓને અપીલ કરવામાં આવી છએ કે, પોતાની યાત્રાને આગળ ના વધારે હવામાન સારુ થઇ જાય ત્યાર બાદ જ આગળ વધો.
તમને જણાવી દિએ કે, ચાર ધામ યાત્રા માટે યૂપી, દિલ્હી, એનસીઆર, રાજસ્થાન સહિત તમામ રાજ્યોના લોકો પહોચ્યા છે. પરંતુ ખરાબ હવામાનના લીધે આ યાત્રાને હાલપુરતી રોકી દવામાં આવી છે.
શુક્રવારની સવારે કૈદારનાથમાં બર્ફબારીના લીધે હાલાત વધારે મુશ્કેલ બન્યા હતા. જેના લીધે લોકોને આગળ જતા અટકાવી દેવામાં આવ્યા હતા. જિલ્લાઅધિકારી મયુર દીક્ષિતે કહ્યુ કે, મૌસમ સારો થયા બાદ શ્રદ્ધાલુઓને આગળ મોકલવામાં આવશે.
યાત્રીઓને અપીલ કરવામાં આવી છે કે, આ રુદ્રપ્રયાગમા જ રોકાણ કરે અને હવામાનના સારા થવાની રાહ જોવે. જેનાથી તેમને કોઇ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ના કરવો પડે. ગૌરીકુડમાં લિચોલી સુધી વરસાદના લીધએ કૈદારનાથનો રસ્તો ખરાબ થઇ ચૂક્યો છે.
લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર પર બહાર પાડવામાં આવ્યો છે. મુશ્કેલી પરિસ્તિતિમાં 01364-233727 ટોલ ફ્રી નંબર 1077 અને મોબાઇલ નબર 8958757335 આપવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
