Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kedarnath Opening Date 2026: બાબાના ભક્તોની પ્રતીક્ષાનો અંત, આ દિવસે સવારે 8 વાગ્યાથી ખુલશે બાબા કેદારના દ્વાર

Kedarnath Dham Opening 2026: શિવભક્તો માટે આજે મહાશિવરાત્રીના પવિત્ર અવસરે ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ 11મા જ્યોતિર્લિંગ શ્રી કેદારનાથ ધામના કપાટ (દ્વાર) ખોલવાની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે. વર્ષ 2026ની ચારધામ યાત્રા અંતર્ગત બાબા કેદારના દર્શન માટે શ્રદ્ધાળુઓની આતુરતા હવે ટૂંક સમયમાં પૂર્ણ થશે.

Kedarnath Dham Opening 2026

ક્યારે ખુલશે બાબાના દ્વાર?

પરંપરા મુજબ, આજે મહાશિવરાત્રીના અવસરે ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં પંચાંગ ગણતરી કરવામાં આવી હતી. શ્રી બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર:

  • તારીખ: 22 એપ્રિલ 2026
  • સમય: સવારે 8:00 કલાકે
  • સ્થળ: કેદારનાથ ધામ, ઉત્તરાખંડ

આ નક્કી કરેલા શુભ મુહૂર્તે વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવશે.

ભક્તોમાં ભારે ઉત્સાહ અને તૈયારીઓ તેજ

બાબા કેદારનાથના દ્વાર ખુલવાની તારીખ જાહેર થતા જ દેશ-વિદેશના શ્રદ્ધાળુઓમાં હરખની હેલી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે શિયાળા દરમિયાન ભારે હિમવર્ષાને કારણે બાબાની ડોલી નીચે ઓમકારેશ્વર મંદિરમાં બિરાજમાન હોય છે, જ્યાં તેમની શિયાળુ પૂજા થાય છે.

હવે જ્યારે કપાટ ખોલવાની તારીખ નક્કી થઈ ગઈ છે, ત્યારે ઉત્તરાખંડ પ્રશાસન અને મંદિર સમિતિએ ચારધામ યાત્રાના રૂટ અને વ્યવસ્થાઓને આખરી ઓપ આપવાની કામગીરી તેજ કરી દીધી છે.

નોંધ: જો તમે પણ આ વર્ષે કેદારનાથની પવિત્ર યાત્રા કરવાનું વિચારી રહ્યા હોવ, તો વહેલી તકે રજિસ્ટ્રેશન અને ટ્રાવેલ પ્લાનિંગ શરૂ કરી દેવું હિતાવહ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X