કેજરીવાલે CBI નું સમન મળતા સંજય સિંહ ભડક્યા, જાણો શું કહ્યું?
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસદિયાને જેલમાં મોકલ્યા બાદ હવે સીબીઆઈ અરવિંદ કેજરીલાલ પાછળ પડી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. હવે કેજરીવાલે અરવિંદ કેજરીવાને સમન કર્યુ છે. કેજરીવાલને સમન મળતા હવે આમ આદમી પાર્ટી ભડકી છે. અહીં તમને જણાવી દઈએ કે, આબકારી નીતિને લઈને સીબીઆઈએ અરવિંદ કેજરીવાલને 16 એપ્રિલે પુછપરછ માટે બોલાવ્યા છે.

અહેવાલો અનુસાર, સીબીઆઈએ કેજરીવાલને 16 એપ્રિલે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. કેજરીવાલ દિલ્હીમાં CBI હેડક્વાર્ટર જશે.
આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે, CBI અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલી રહી છે. હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે તમે અને તમારી સરકાર માથાથી પગ સુધી ભ્રષ્ટાચારમાં ડુબેલી છે.
સંજય સિંહે આગળ કહ્યું કે, સીબીઆઈના સમન્સથી અરવિંદ કેજરીવાલની લડાઈ અટકશે નહીં. તમે 16 એપ્રિલે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા તેમને જેલમાં મોકલવા અને તેમની સામે કાર્યવાહી કરવા માટે જે કાવતરું ઘડ્યું છે તે તેમનો અવાજ દબાવી શકશે નહીં.
આ પહેલા સંજય સિંહે એક ટ્વીટમાં લખ્યું કે અત્યાચાર ચોક્કસપણે ખતમ થશે. બીજી તરફ અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે, ED લોકો પર ત્રાસ અને દબાણ કરીને ખોટા નિવેદનો લઈ રહી છે. દિલ્હીના સીએમએ પોતાના નિવેદનમાં કહ્યું કે સંજય સિંહના કેસમાં નિવેદન એક વાત છે અને ચાર્જશીટમાં કંઈક બીજું લખવામાં આવ્યું છે. તેણે વધુમાં કહ્યું કે સિસોદિયાના કેસમાં EDએ કહ્યું કે તેણે તેના ફોન તોડી નાખ્યા પરંતુ તેના ઘણા ફોન હજુ પણ ED પાસે છે. સમગ્ર મામલો બનાવટી છે.












Click it and Unblock the Notifications
