સરકારી બંગલો ખાલી નહી કરે અરવિંદ કેજરીવાલ!
નવી દિલ્હી, 13 માર્ચઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના સરકારી બંગલો ખાલી કરવાનો ઇન્કાર કરી દીધો છે. કેજરીવાલે તિલક લેન સ્થિત આવાસ ખાલી કરવા માટે થોડોક સમય માંગ્યો છે. 15 દિવસની મર્યાદા પૂર્ણ થતા જ પીડબલ્યુડી તરફથી મોકલવામાં આવેલી નોટીસના જવાબમાં કેજરીવાલે તેમની પાસે થોડોક સમય માંગ્યો છે.

શહેરી વિકાસ મંત્રાલય અનુસાર બજાર રેટના હિસાબે કેજરીવાલે સરકારી ફ્લેટનું માસિક ભાડું 50થી 60 હજાર રૂપિયા છે. તેવામાં જો કેજરીવાલે આ ઘરમાં રહેવું હોય તો તેણે તેનું ભાડું ચૂકવવું પડશે, પરંતુ શહેરી વિકાસ મંત્રાલય અનુસાર એ અનિવાર્ય નથી કે મંત્રાલય બજાર રેટથી ભાડું વસુલ કરે અને કેજરીવાલ તેમાં ત્રણ મહિના સુધી રહી શકે, પરંતુ દિલ્હી સરકારને આ સંબંધમાં મંત્રાલયને સૂચના આપવી પડશે.












Click it and Unblock the Notifications
