For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કેજરીવાલના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ થવી જોઇએ'

|
Google Oneindia Gujarati News

prashant-bhushan-kejriwal
બક્સર(બિહાર), 8 નવેમ્બરઃ પુર્વ આર્મી ચીફ વીકે સિંહે કહ્યું છે કે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન(આઇએસી)ના કાર્યકર્તા અરવિંદ કેજરીવાલ દ્વારા જે ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે તેની તપાસ થવી જોઇએ.

તેમણે પત્રકારોને કહ્યું છે કે, કેજરીવાલ ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહ્યાં છે કારણ કે તેમની પાસે પુરાવા છે. જો કે, તેમણે આઇએસીનો ભાગ થવાની વાતનો ઇન્કાર કર્યો હતો.

શું તમે કોઇ રાજકીય પાર્ટીમાં જોડાવા ઇચ્છો છો તેવા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું, '' લોકનાયક જયપ્રકાશ નારાયણ ક્યારેય કોઇ પાર્ટીમાં જોડાયા નહોતા, તેઓ એકલા હાથે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડ્યા હતા અને લોકો તેમના આ યુદ્ધમાં જોડાયા હતા, જેનો પરચો 1974માં આપણને જોવા મળ્યો હતો.''

'' હું મારા આગામી પગલા વિશે બાદમાં જણાવીશ,'' તેમ પૂર્વ આર્મી ચીફે કહ્યું છે, તેમણે ઉમેર્યું છે કે તેઓ હાલ ખેડૂતો, યુવાઓ અને જવાનોની મદદથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ 'જનજાગરણ' અભિયાન ચલાવી રહ્યાં છે.

વીકે સિંહે ભોજપુર જિલ્લાના આરામાં 'જવાન કિસાન મોર્ચા'ના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવાના થતાં પહેલા બક્સરમાં પત્રાકારો સાથે વાત કરી હતી.

English summary
Former Army chief VK Singh said there was a need for thorough probe into the allegations made by India Against Corruption (IAC) activist Arvind Kejriwal with regard to corruption.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X