કેરળઃ વર્ચ્યુઅલ રેલીમાં સામેલ થયા હમાસ નેતા, લગાવ્યા હિંદુ વિરોધી નારા - બુલડોઝર હિંદુત્વને ઉખાડી ફેંકો
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન કેરળના મલપ્પુરમમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં હમાસના નેતા ખાલેદ મશાલે પણ વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.
આ પછી રેલીમાં હિંદુ વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. હવે આ મુદ્દે રાજકારણ શરૂ થયું છે. ભાજપે આયોજકો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

મીડિયા અહેવાલો અનુસાર, હમાસના નેતા ખાલેદ મશાલે શુક્રવારે મલપ્પુરમમાં સોલિડેરિટી યુથ મૂવમેન્ટ દ્વારા આયોજિત યુવા પ્રતિકાર રેલીમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. તેમજ લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન રેલીમાં "બુલડોઝર હિન્દુત્વ અને રંગભેદ ઝાયોનિઝમને જડમૂળથી ઉખાડી નાખો"ના નારા લગાવવામાં આવ્યા હતા. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ સમાચાર બહાર આવતાં જ રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. આ મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. સુરેન્દ્રને કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે કેરળના મલપ્પુરમમાં એકતા કાર્યક્રમમાં હમાસ નેતા ખાલેદ મશાલનું વર્ચ્યુઅલ સંબોધન ચિંતાજનક છે. ક્યાં છે કેરળ પોલીસ? 'સેવ પેલેસ્ટાઈન'ની આડમાં તેઓ આતંકવાદી સંગઠન હમાસ અને તેના નેતાઓને 'યોદ્ધાઓ' તરીકે મહિમા આપી રહ્યા છે. આ સ્વીકારી શકાય નહીં.
ગુરુવારે કેરળના કોઝિકોડમાં પણ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ લીગ સાથે જોડાયેલા હજારો લોકો જોડાયા હતા. આ રેલીમાં કોંગ્રેસના નેતા થરૂર મુખ્ય અતિથિ હતા. રેલીમાં પોતાના સંબોધન દરમિયાન, તેમણે હમાસનું નામ લીધા વિના તેને આતંકવાદી સંગઠન ગણાવ્યું હતું, જેના પર મુનીરે વાંધો વ્યક્ત કર્યો હતો.
થરૂરે પોતાના ભાષણમાં કહ્યું હતું કે 7 ઓક્ટોબરે આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો અને 1,400 લોકોને મારી નાખ્યા અને 400ને બંધક બનાવ્યા અને જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલે ગાઝા પર બૉમ્બમારો કર્યો, જેમાં 6,000થી વધુ લોકો માર્યા ગયા. જે હજુ બંધ થયા નથી. જોકે, તેણે ઈઝરાયેલના જવાબને માનવાધિકારનું ઉલ્લંઘન પણ ગણાવ્યું હતું.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
